Site icon News Continuous Bureau | Mumbai

India Qatar LNG Supply: કતારથી ભારત આવશે LNG ટેન્કર, રસોઈ ગેસની અછતને પહોંચી વળવા માસ્ટર પ્લાન તૈયાર.

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની કતાર મુલાકાત સફળ; યુદ્ધવિરામનો લાભ લઈ અટકેલા કાર્ગો ભારત લાવવા કવાયત તેજ, ગેસના ભાવ સ્થિર થવાની આશા.

Tax on LPG & PNG How much GST do you pay on your gas cylinder Latest updates amid rising prices.

Tax on LPG & PNG How much GST do you pay on your gas cylinder Latest updates amid rising prices.

News Continuous Bureau | Mumbai
India Qatar LNG Supply ઈરાન યુદ્ધને કારણે ભારતમાં સર્જાયેલી રસોઈ ગેસની (LPG) અછત હવે ટૂંક સમયમાં દૂર થવા જઈ રહી છે. ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ૯-૧૦ એપ્રિલ દરમિયાન કતારની મહત્વની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ કતારે ભારતને એલએનજી (LNG) નો પુરવઠો ફરી શરૂ કરવાની ખાતરી આપી છે, જે ભારતીય ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે.હરદીપ સિંહ પુરીએ કતારના ઉર્જા મંત્રી અને ‘કતાર એનર્જી’ ના CEO સાદ શેરિડા અલ-કાબી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ૮ એપ્રિલથી અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા ૧૪ દિવસના યુદ્ધવિરામનું સ્વાગત કર્યું હતું. આ સમયગાળાને ભારત પોતાની ઉર્જા સુરક્ષા માટે એક ‘ગોલ્ડન વિન્ડો’ તરીકે જોઈ રહ્યું છે.

હોર્મુઝની સામુદ્રધૂની અને અટકેલા જહાજો

ઈરાન યુદ્ધ શરૂ થયા બાદથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે કતારથી ભારત આવતો ગેસનો પુરવઠો સંપૂર્ણપણે અટકી પડ્યો હતો. હાલમાં ભારતના ૧૬ જહાજો પર્સિયન ગલ્ફમાં ફસાયેલા છે. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ‘ગ્રીન સાન્વી’ અને ‘ગ્રીન આશા’ જેવા ૮ ભારતીય એલપીજી ટેન્કર આ વ્યૂહાત્મક જળમાર્ગને પાર કરવામાં સફળ રહ્યા છે, જેનાથી ભારતમાં ગેસની તીવ્ર અછતમાંથી થોડી રાહત મળી છે.

Join Our WhatsApp Channel

કતાર ભારતનો સૌથી મોટો સપ્લાયર

કતારના મંત્રી અલ-કાબીએ ખાતરી આપી છે કે કતાર ભારત માટે એક વિશ્વસનીય ઉર્જા ભાગીદાર બની રહેશે. યુદ્ધ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલા તેમના પ્લાન્ટ્સની મરામત કરીને સપ્લાય ફરી શરૂ કરવા માટે તેઓ તમામ પ્રયાસો કરી રહ્યા છે. ભારત અત્યારે અમેરિકા, ઓમાન અને આફ્રિકાથી પણ આયાત વધારી રહ્યું છે, પરંતુ કતાર સાથેના મજબૂત સંબંધો રસોઈ ગેસના ભાવને નિયંત્રણમાં રાખવા માટે અનિવાર્ય છે.
આ સમાચાર પણ વાંચો: JD Vance Warning to Iran: ઈરાનને જેડી વેન્સની ખુલ્લી ચેતવણી, શાંતિ બેઠક પહેલા અમેરિકાનું કડક વલણ

ઈરાનનો નવો ટેક્સ અને ભારતનું વલણ

રિપોર્ટ અનુસાર, ઈરાન આ જળમાર્ગ પરથી પસાર થતા દરેક જહાજ પર સ્પેશિયલ ફી કે ટેક્સ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. જોકે, ભારતીય અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દે હજુ સુધી ઈરાન સાથે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. ભારત અત્યારે તેહરાન સાથે પોતાના ફસાયેલા જહાજોની સુરક્ષિત નિકાસ માટે સતત સંપર્કમાં છે.

IndiaRussia Defense Partnership હવે ભારતનું કંઈ નહીં બગાડી શકે ચીનપાકિસ્તાન, મિત્ર રશિયાનો મોટો ઓફર; બદલાશે એશિયાનું શક્તિ સંતુલન
Puja in running train ચાલતી ટ્રેનમાં પૂજાપાઠનો વીડિયો વાયરલ 3 લાખનું એડવાન્સ પેમેન્ટ અને સ્પેશિયલ કોચ, હનીમૂન ડેકોરેશન બાદ સેલૂન કોચને લઈને વિવાદ
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Supreme Court Order નાગરિકતા વિવાદમાં મોટો ચુકાદો, ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો પલટાવતી સુપ્રીમ કોર્ટ, 27 વ્યક્તિઓને મોટી રાહત.
Exit mobile version