Site icon

વાવાઝોડામાં બાર્જ ડૂબવાના ચોથા દિવસે પણ બચાવ કામગીરી ચાલુ 37ના મૃતદેહ મળ્યા, 38 લાપતાને શોધવા પાંચ INS જહાજની કવાયત શરૂ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 20 મે 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

તાઉતે વાવાઝોડું ફૂંકાવાને પગલે અરબી સમુદ્રમાં મુંબઈના કિનારથી 88 કિલોમીટર દૂર હીરા ઑઇલ ફીલ્ડમાં ડૂબી ગયેલા બાર્જ પી-305માં ફસાઈ ગયેલા લોકોના મૃતદેહ નેવીના હાથે લાગ્યા છે. બુધવારે મોડી રાત બાદ 11 મૃતદેહ INS કોલકતાથી મુંબઈના કિનારા પર લાવવામાં આવ્યા હતા. નેવીના રેસ્ક્યુ ઑપરેશનનો આજે ચોથો દિવસ છે. પંચાવન કલાકથી વધુ સમયથી ચાલી રહેલી બચાવ કામગીરીમાં INS કોચી હજી પણ દરિયામાં કામ કરી રહી છે. હજી  સુધી 38 લોકો મળ્યા નથી. ONGCના કહેવા મુજબ બાર્જમાં 263 લોકો સવાર હતા.

બચાવ કામગીરી માટે નેવી પોતાના ટોહી વિમાન પી-81ની મદદ લઈ રહ્યું છે. નેવીના વિમાન અને હેલિકૉપ્ટર 60 કલાકથી પણ વધુ સમયથી દરિયામાં લોકોને શોધવાનું કામ કરી રહી છે.

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version