Site icon News Continuous Bureau | Mumbai

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ

Halal Township: નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટીના વાયરલ થયેલા વિડિયો ને કારણે રાજકીય પક્ષોમાં ગરમાવો આવ્યો, NHRC અને NCPCR એ રિપોર્ટ માગ્યો.

Halal Township મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ

Halal Township મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ

News Continuous Bureau | Mumbai
Halal Township મુંબઈ નજીક નેરળ માં એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના પ્રમોશનલ વિડિયોએ રાજકીય હલચલ મચાવી દીધી છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક સંગઠનો અને રાજકીય પક્ષોએ તેના પર વાંધો ઉઠાવ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટ ધાર્મિક આધાર પર એક ખાસ સમુદાયને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ વિવાદ બાદ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ અને NCPCR દ્વારા પણ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

વિડિયોમાં શું છે અને શા માટે છે વિવાદ?

પ્રોજેક્ટના પ્રમોશનલ વિડિયોમાં એક મહિલા હિઝાબ પહેરીને ટાઉનશિપને ‘હલાલ લાઈફસ્ટાઈલ’ ટાઉનશિપ તરીકે વર્ણવે છે. તે જણાવે છે કે અહીં સમાન વિચારધારા ધરાવતા પરિવારો માટે ‘ઓથેન્ટિક કોમ્યુનિટી લિવિંગ’ મળશે. વિડિયોમાં બાળકોને ‘હલાલ એન્વાયર્નમેન્ટ’ માં સુરક્ષિત રીતે ઉછેરી શકાય, અને પ્રાર્થના માટેના સ્થળો તેમજ સામુદાયિક મેળાવડા માટેની સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ છે, તેવું દર્શાવવામાં આવ્યું છે. આ વિડિયો વાયરલ થયા બાદ NCPCR ના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તેને ‘નેશન વિધિન ધ નેશન’ ગણાવીને મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલી છે.

Join Our WhatsApp Channel

રાજકીય પક્ષોની તીખી પ્રતિક્રિયા

આ વિડિયો પર શિવસેનાના (એકનાથ શિંદે જૂથ) પ્રવક્તા કૃષ્ણ હેગડેએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે આ પ્રકારની જાહેરાત પાછળના ઈરાદા પર સવાલ ઉઠાવ્યો છે. કૃષ્ણ હેગડેએ વિડિયો પાછો ખેંચવાની અને રાજ્ય સરકારને આ મામલે તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. બીજી તરફ, ભાજપના પ્રવક્તા અજીત ચવ્હાણે તેને ‘ગઝવા-એ-હિન્દ’ નો પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે મુંબઈ કે મહારાષ્ટ્રમાં આવા પ્રોજેક્ટ્સને કોઈ સ્થાન નથી. તેમણે આ ઘટનાને બંધારણ માટે પડકાર ગણાવીને વિકાસકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ નામના વકીલે માર્ક ઝકરબર્ગ સામે કર્યો કેસ; કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ

માનવાધિકાર પંચે પણ લીધી ગંભીર નોંધ

પ્રોજેક્ટનું ધાર્મિક આધાર પર માર્કેટિંગ થઈ રહ્યું હોવાની ફરિયાદ બાદ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ એ પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. પંચે રાજ્ય સરકાર પાસેથી આ અંગે એક વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે, જેથી આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે. આ વિવાદથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આવા પ્રોજેક્ટ્સ સામાજિક અને રાજકીય બંને સ્તરે તણાવ પેદા કરી શકે છે.

Pahalgam Terror Attack। આતંકવાદને પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ, ‘ભારત ક્યારેય નહીં ઝૂકે’.”
Chembur Property Scam। ચેમ્બુરમાં મિલકત પચાવી પાડવાનું કૌભાંડ નકલી ‘રિલીઝ ડીડ’ બનાવી વૃદ્ધાની દુકાન વેચી મારી
Tardeo Accident। તાડદેવમાં પૂરઝડપે આવતા બાઈકે વૃદ્ધનો જીવ લીધો હોટલ મેનેજરની ધરપકડ
Saki Naka Crime। સાકીનાકામાં પ્રેમીની ગદ્દારી પ્રેમિકાએ આર્થિક મદદનો ઇનકાર કરતા પ્રેમીએ જ ઘરમાં કર્યો લાખોની ચોરીનો હાથફેરો
Exit mobile version