Site icon

RSS Government Employees: સરકારી કર્મચારીઓને પણ હવે RSSના કાર્યક્રમોમાં સામેલ કરાશે! પવન ખેરાનો દાવો – સરકારે 58 વર્ષ જૂના ઓર્ડરમાં ફેરફાર કર્યો.. જાણો વિગતે..

RSS Government Employees: 58 વર્ષ જૂના આ પ્રતિબંધને કારણે ઘણા સરકારી કર્મચારીઓ નિવૃત્તિ પછી પેન્શન લાભ વગેરેને ધ્યાનમાં રાખીને પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવાનું ટાળતા હતા. જો કે આ દરમિયાન મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્ય સરકારોએ આ આદેશને રદ્દ કરી દીધો હતો.

RSS Government Employees Now government employees can participate in RSS programs, Modi government reverses 58-year-old order.

RSS Government Employees Now government employees can participate in RSS programs, Modi government reverses 58-year-old order.

 News Continuous Bureau | Mumbai

RSS Government Employees:  કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( RSS )ની પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓ પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હટાવી લીધો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઉપરોક્ત સૂચનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને 30 નવેમ્બર, 1966, 25 જુલાઈ, 1970 અને 28 ઓક્ટોબર, 1980 ના સંબંધિત ઓએમમાંથી આરએસએસના સંદર્ભને કાઢી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

તો બીજી તરફ કોંગ્રેસે ( Congress )  કેન્દ્ર સરકારના આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. કોંગ્રેસે રવિવારે આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર છ દાયકા જૂનો પ્રતિબંધ હટાવવાના કેન્દ્ર સરકારના ( Central Government ) આ નિર્ણયની આકરી ટીકા કરી હતી.

 RSS Government Employees:  58 વર્ષ પહેલા, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો..

કોંગ્રેસ મહાસચિવ (સંચાર) જયરામ રમેશે ( Jairam Ramesh ) X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ફેબ્રુઆરી 1948માં ગાંધીજીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ સારા વર્તનની ખાતરી પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો. આ પછી પણ આરએસએસએ નાગપુરમાં ક્યારેય તિરંગો ફરકાવ્યો નથી. 1966માં, આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો – અને તે યોગ્ય નિર્ણય પણ હતો. ૧૯૬૬ માં પ્રતિબંધ લાદવાનો આ એક સત્તાવાર આદેશ છે. 4 જૂન 2024 પછી, સ્વ-ઘોષિત વડા પ્રધાન અને આરએસએસ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. 9 જુલાઈ 2024 ના રોજ, 58 વર્ષનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો, જે અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ પડ્યો હતો. હું માનું છું કે અમલદારશાહી હવે ટૂંક સમયમાં શોર્ટ્સ પહેરીને ઓફિસમાં પણ આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો  :  jasmin bhasin: કોન્ટેક્ટ લેન્સ પહેરવું જસ્મીન ભસીન ને પડ્યું ભારે, આંખ ના આ ભાગ માં થઇ ઇજા,અભિનેત્રી એ જણાવી આપવીતી

સાથે જ કોંગ્રેસના અન્ય એક નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન ખેરાએ ( Pawan Khera ) પણ કેન્દ્ર પર પ્રહાર કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, 58 વર્ષ પહેલા, કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે મોદી સરકારે તે આદેશને પાછો ખેંચી લીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version