Site icon

અમુક દેશોમાં કોરોનાનું સંકટ કાયમ; પરદેશથી આવનારાઓ માટે આ નિયમનું કડક રીતે પાલન કરવાનો કેન્દ્રનો આદેશ: જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ભારતમાં કોરોનાનું સંકટ ઓસરી ગયું છે. અહીંનું જીવન પૂર્વવત થઇ રહ્યું છે, પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં કોરોનાનો પ્રકોપ કાયમ છે. તેથી આ દેશોમાંથી ભારત આવનારા નાગરિકોએ કોરોના નિયમોનું કઠોર પણે પાલન કરવું પડશે. તેવો કડક આદેશ આપવામાં આવ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારે ભારતમાં આવનારા પરદેશી પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. તે મુજબ ભારતમાં પ્રવેશનાર દરેક પ્રવાસીએ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ દાખવવો ફરજીયાત રહેશે. 

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઘટી ગઇ છે, પરંતુ મહામારી પૂર્ણપણે સમાપ્ત થઈ નથી. તેથી સરકાર દ્વારા પૂર્ણ કાળજી રાખીને જ લોકડાઉન શિથિલ કરવામાં આવી રહ્યું છે. તે સંદર્ભે બુધવારે નવી માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. પરદેશી પ્રવાસીઓએ ભારતમાં એન્ટ્રી કરતી વખતે 72 કલાક પહેલાંનો આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ રજૂ કરવો પડશે. સાથે જ તે રિપોર્ટ સાચો હોવાનો પુરાવો પણ આપવો પડશે. 

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમવીર સિંહ અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ હનીમૂન પર ગયા છે? અમૃતા ફડણવીસ નો સણસણતો સવાલ.

સરકારે કોરોના સંક્રમણની દ્રષ્ટિએ જોખમકારક એવા દેશોની યાદી તૈયાર કરી છે. જેમાં યુરોપના દેશ, ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરિશસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

S Jaishankar on Hormuz Strait: દુનિયા અટકી પણ ભારત ચાલ્યું! હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કેમ કોઈ નથી રોકતું? એસ. જયશંકરે કૂટનીતિનો કર્યો મોટો ખુલાસો.
Turmeric prices India: હળદરમાં સિઝનનાં પ્રારંભે જ મંદીથી ખેડૂતો પરેશાન
Harish Rana Passive Euthanasia: ‘હવે શાંતિથી જા, બેટા…’: હરીશ રાણાની અંતિમ વિદાયનો વીડિયો જોઈ દેશની આંખો ભીની; ૧૩ વર્ષના સંઘર્ષ બાદ મળશે કાયમી મુક્તિ
Diplomatic Thaw: બાંગ્લાદેશના PM તારિક રહેમાનનો ‘માસ્ટરસ્ટ્રોક’! દિલ્હી મોકલ્યો ખાસ દૂત, અજિત ડોભાલ અને RAW ચીફ સાથેની ‘ગુપ્ત’ મુલાકાતથી મચ્યો હડકંપ.
Exit mobile version