Site icon News Continuous Bureau | Mumbai

G20માં LACની સ્થિતિનો મુદ્દો ગરમાયો, જાણો એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને શું કહ્યું?

G-20 કોન્ફરન્સમાં ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની વર્તમાન સ્થિતિનો મુદ્દો ગરમ રહ્યો હતો. ભારતે માત્ર ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગ સાથે સરહદ ની સ્થિતિ અને તેના કારણો વિશે વાત કરી એટલું જ નહીં, સખત વાંધો પણ ઉઠાવ્યો

S Jaishankar Holds Meet With China's FM Qin Gang Over LAC Situation

G20માં LACની સ્થિતિનો મુદ્દો ગરમાયો, જાણો એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને શું કહ્યું?

News Continuous Bureau | Mumbai

G-20 કોન્ફરન્સમાં ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની વર્તમાન સ્થિતિ નો મુદ્દો ગરમ રહ્યો હતો. ભારતે માત્ર ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગ સાથે સરહદ ની સ્થિતિ અને તેના કારણો વિશે વાત કરી એટલું જ નહીં, સખત વાંધો પણ ઉઠાવ્યો. તમને જણાવી દઈએ કે જૂન 2020થી ભારત અને ચીન વચ્ચે LAC ની સ્થિતિ ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. સૌથી પહેલા જૂન 2020 માં ચીને ગલવાન ખીણમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભારતીય સૈનિકો સાથે સૌથી વધુ હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના 40થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. આ પછી નવેમ્બર 2022માં પણ ચીને તવાંગ વિસ્તારમાં ઘૂસણખોરીની કોશિશ નું પુનરાવર્તન કર્યું, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને ખદેડીને અને સરહદથી ભગાડી દીધા હતા.

Join Our WhatsApp Channel

વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે ચીનના વિદેશ મંત્રી ચીન ગેંગ સાથે મુલાકાત કરી, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ ચર્ચા G20 સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. જયશંકરે ટ્વીટ કર્યું, “આજે બપોરે G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી ચિન ગેંગને મળ્યા. અમારી વાતચીત દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શાંતિ માટેના વર્તમાન પડકારો પર કેન્દ્રિત હતી.” ડિસેમ્બરમાં ચીનના વિદેશ મંત્રી બન્યા બાદ ચિન ગેંગની જયશંકર સાથે આ પ્રથમ મુલાકાત છે.

આ સમાચાર પણ વાંચો  :  આમ જનતાને વધુ એક ઝટકો, મોંઘા થઈ જશે રિચાર્જ પ્લાન, આ કંપનીએ શરૂ કરી દીધી તૈયારી..

જયશંકર લગભગ આઠ મહિના પહેલા બાલીમાં જી-20 બેઠક દરમિયાન તત્કાલીન ચીનના વિદેશ મંત્રી વાંગ યીને મળ્યા હતા. તેમણે પૂર્વી લદ્દાખ ના તમામ પડતર મુદ્દાઓના વહેલા ઉકેલની જરૂરિયાત વિશે 7 જુલાઈએ એક કલાકની બેઠક દરમિયાન વાંગને જણાવ્યું હતું. વાંગ ગયા વર્ષે માર્ચમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારત અને ચીને 22 ફેબ્રુઆરીએ બીજિંગમાં સીધી રાજદ્વારી વાટાઘાટો કરી હતી અને પૂર્વી લદ્દાખમાં એલએસી સાથેના બાકીના ઘર્ષણ બિંદુઓથી સૈનિકોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર “ખુલ્લી અને સકારાત્મક ચર્ચાઓ” કરી હતી.

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version