Site icon News Continuous Bureau | Mumbai

Salarimala Gold Theft Case: સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક? સોનાની ચોરી મામલે ED એક્શનમાં, મુખ્ય પૂજારી સકંજામાં; કરોડોના કૌભાંડનો પર્દાફાશ થવાની શક્યતા

Salarimala Gold Theft Case: ભગવાન અયપ્પાના મંદિરમાં સોનાના વરખની હેરાફેરીનો આરોપ; કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં તપાસનો ધમધમાટ, મની લોન્ડરિંગ (PMLA) હેઠળ કેસ નોંધાયો.

Salarimala Gold Theft Case સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક સોનાની ચોરી મામલે ED

Salarimala Gold Theft Case સબરીમાલા મંદિરની પવિત્રતાને કલંક સોનાની ચોરી મામલે ED

News Continuous Bureau | Mumbai
Salarimala Gold Theft Case: કેરળનું પવિત્ર સબરીમાલા મંદિર હાલ એક મોટા વિવાદના કેન્દ્રમાં છે. ભગવાન અયપ્પાની મૂર્તિઓ અને ગર્ભગૃહના દરવાજા પર ચઢાવવામાં આવેલા સોનામાં ગેરરીતિ અને ચોરીના ગંભીર ખુલાસા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તાજેતરમાં મંદિરના મુખ્ય પૂજારી ની ધરપકડ કરી છે, જેનાથી સમગ્ર દેશના ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ મામલે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગના એંગલથી તપાસ શરૂ કરી છે. ED દ્વારા કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કુલ 21 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં મુખ્ય આરોપી ઉન્નીકૃષ્ણન પોટ્ટી અને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) ના ભૂતપૂર્વ પ્રમુખ એ. પદ્મકુમારના નિવાસસ્થાનોનો પણ સમાવેશ થાય છે.

વિજય માલ્યાએ દાનમાં આપેલા સોનામાં ગેરરીતિ

આ વિવાદના મૂળ વર્ષ 1998 માં છે, જ્યારે ઉદ્યોગપતિ વિજય માલ્યાએ મંદિરના ગર્ભગૃહ માટે 30.3 કિલોગ્રામ સોનું અને 1,900 કિલોગ્રામ તાંબુ દાનમાં આપ્યું હતું. કેરળ હાઈકોર્ટની દેખરેખ હેઠળ જ્યારે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે સોનાના વરખનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. આથી બોર્ડના અધિકારીઓ અને પૂજારીઓ વચ્ચેની મિલીભગતથી સોનાની ચોરીનો શંકા પેદા થઈ હતી.

Join Our WhatsApp Channel

ચાર તબક્કામાં થઈ રહી છે તપાસ

SIT અને ED ની તપાસને ચાર મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવી છે:
ગર્ભગૃહ (Shrikovil) ની કલાકૃતિઓ પર સોનાના વરખની હેરાફેરી.
2019 માં સોનાના જૂના દરવાજા બદલીને નવા દરવાજા લગાવતી વખતે થયેલી ગેરરીતિ.
‘દ્વારપાલક’ મૂર્તિઓની સોનાની પ્લેટો ગાયબ થવી.
2025 માં મૂર્તિઓ પર ફરીથી સોનાનો ઢોળ ચઢાવતી વખતે કરવામાં આવેલા વ્યવહારો

આ સમાચાર પણ વાંચો : US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ

SIT સોનાના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસશે

હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ SIT ની ટીમ સન્નિધાનમ (Sannidhanam) પહોંચી ગઈ છે. તપાસ ટીમ ગર્ભગૃહ અને આસપાસની મૂર્તિઓ પર ચઢાવેલા સોનાના વરખના નમૂના લેશે અને તેની શુદ્ધતાની તપાસ કરશે. એવી આશંકા છે કે અસલી સોનાની જગ્યાએ હલકી ગુણવત્તાવાળી ધાતુનો ઉપયોગ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version