Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે શાળા ખોલવાની મંજૂરી આપી પરંતુ કેટલાક રાજ્યો શાળા ખોલવાના મૂડમાં નથી, જાણો ક્યા રાજ્યમાં ક્યારે સ્કૂલ ખુલશે? 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
16 ઓક્ટોબર 2020

કોરોના વાયરસ મહામારીને કારણે માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયા બાદ દેશભરની શાળાઓ ઘણા સમયથી બંધ હતી. જોકે કેટલાક રાજ્યોમાં, 9 થી 12 સુધીના વર્ગો અનલોક 4 હેઠળ 21 સપ્ટેમ્બરથી આંશિક રીતે શરૂ કરવામાં આવ્યા હતા. હવે અનલોક 5 હેઠળ કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી દેશભરમાં તબક્કાવાર શાળાઓ ખોલવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય દ્વારા આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે. જો કે, શાળાઓ ખોલવી કે નહીં, તેમને ક્યારે અને કેવી રીતે ખોલવી… આખરી નિર્ણય રાજ્યોએ પોતે જ લેવો પડશે.

Join Our WhatsApp Channel

ચાલો જાણીએ દેશના કયા રાજ્યએ આ સંદર્ભે શું નિર્ણય લીધો છે??

# મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારે દિવાળી બાદ કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ જ સ્કૂલ ખોલવાનો નિર્ણય લેશે. ત્યાં સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.
#ગુજરાત : ગુજરાત સરકારે પણ દિવાળી બાદ જ સ્કૂલો ફરી ખોલવાની વાત કહી છે. ત્યા સુધી તમામ સ્કૂલો બંધ રહેશે.
#પંજાબ : પંજાબ સરકારે 15 ઓક્ટોબરથી જ સ્કૂલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જેમાં ધોરણે 9થી 12 સુધીના રેગ્યુલર ક્લાસિસ શરૂ કરી શકાશે પરંતુ એક સેશનમાં 20થી વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં.

#ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશ સરકારે ધોરણે 9થી 12 સુધી સોમવારે 19 ઓક્ટોબરથી ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં જ સ્કૂલો ખુલશે.
#આંધ્રપ્રદેશ : આંધપ્રદેશમાં રાજ્ય સરકારે 2 નવેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનોન નિર્ણય લીધો છે.
#છત્તીસગઢ : રાજ્ય સરકારે કહ્યુ છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આગામી આદેશ સુધી શાળાઓ બંધ રહેશે.
#કર્ણાટક : રાજ્ય સરકાર કોરોના મહામારીની સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય લેશે ત્યાં સુધી બંધ રહેશે.
#પશ્ચિમ બંગાળ : આ રાજ્યની સરકાર 15 નવેમ્બર બાદ જ સ્કૂલો ફરી ખોલવાનો કોઇ નિર્ણય લેશે.
#હરિયાણા : રાજ્યના શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, બધુ યોજના મુજબ રહ્યુ તો ધોરણ 6થી 9 સુધીના વિદ્યાર્થીઓ 15 ઓક્ટોબરથી શિક્ષકો પાસે માર્ગદર્શન મેળવવા શાળાએ જઇ શકશે. પરંતુ નિયમિત ક્લાસિસ બંધ રહશે. 9થી 12 ધોરણને 21 સપ્ટેમ્બરથી મંજૂરી અપાઇ છે.
#ઉત્તરાખંડ : રાજ્યમાં 1 નવેમ્બરથી 10 અને 12 ધોરણની માટે સ્કૂલો ખુલશે.
#તમિલનાડુ : રાજ્ય સરકારે હજી કોઇ નિર્ણય લીધો નથી. રાજ્યમાં કોરોના મહામારીની સમિક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.
#મેઘાલય : આ રાજ્યમાં સરકારે 15 નવેમ્બરથી સ્કુલ ખોલવાની મંજૂરી આપી છે. પરંતુ આગામી આદેશ સુઘી કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં નિયમિત ક્લાસ શરૂ કરવાની મંજૂરી અપાઇ નથી.

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version