Site icon

સુરક્ષા દળોએ કાશ્મીરના કુલગામમાં બે આતંકીઓને ઠાર માર્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

30 મે 2020 

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વામપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે મોડીરાતે આ વિસ્તારમાં બેથી વધુ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી. પોલીસ, આર્મી અને સીઆરપીએફ ટીમોએ અહી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વામપોરા વિસ્તારમાં બે આંતકીઓ છુપાયા હોવાની વાત સ્પષ્ટ થઈ હતી. જેઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટેની ફિરાકમાં હતા. તેઓ કોઈ ઘટનાને અંજામ આપે એ પહેલા જ બંનેને ઠાર મારી દેવાયા હતા. આતંકીઓની ઓળખ હજી થઈ નથી અને તેઓ કયા જૂથના છે તે પણ જાણી શકાયું નથી. વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ પુલવામા જેવા આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. રાજપોરા રોડ પર શાદીપુરા નજીક એક સફેદ રંગની સેન્ટ્રો કાર મળી આવી હતી, જેમાં ૫૦ કિલો ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યા હતા..

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version