Site icon News Continuous Bureau | Mumbai

સુરક્ષા દળોએ કાશ્મીરના કુલગામમાં બે આતંકીઓને ઠાર માર્યા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

30 મે 2020 

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના વામપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે ગુરુવારે મોડીરાતે આ વિસ્તારમાં બેથી વધુ આતંકવાદીઓ છુપાયા હોવાના માહિતી મળી હતી. પોલીસ, આર્મી અને સીઆરપીએફ ટીમોએ અહી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વામપોરા વિસ્તારમાં બે આંતકીઓ છુપાયા હોવાની વાત સ્પષ્ટ થઈ હતી. જેઓ કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટેની ફિરાકમાં હતા. તેઓ કોઈ ઘટનાને અંજામ આપે એ પહેલા જ બંનેને ઠાર મારી દેવાયા હતા. આતંકીઓની ઓળખ હજી થઈ નથી અને તેઓ કયા જૂથના છે તે પણ જાણી શકાયું નથી. વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને વિગતવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે સુરક્ષા દળોએ પુલવામા જેવા આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું. રાજપોરા રોડ પર શાદીપુરા નજીક એક સફેદ રંગની સેન્ટ્રો કાર મળી આવી હતી, જેમાં ૫૦ કિલો ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યા હતા..

Kerala Hotel Restaurant Strike। શું ૬ મેના રોજ કેરળમાં ખાવાપીવાની તકલીફ પડશે? ગેસના ભાવ વધતા હોટલ માલિકોનું મોટું એલાન, આખા રાજ્યમાં હડતાળ
New LPG Rules 2026| એલપીજી ગ્રાહકો સાવધાન તમારું ગેસ કનેક્શન થઈ શકે છે બંધ, સરકારના નવા નિયમો આજથી લાગુ
Maharashtra Auto Marathi Rule। પરપ્રાંતીય રિક્ષા ચાલકોની મુશ્કેલી વધશે? મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત થતા ઉત્તર ભારતના નેતાઓ લાલઘૂમ, જાણો વિગત
RBI Gold Reserves Return 2026। ૧૯૯૧ જેવી સ્થિતિ હવે ભૂતકાળ સોનાના ભંડાર મામલે ભારતનો મોટો નિર્ણય, વિદેશી બેંકોમાંથી ભારત કેમ ખસેડી રહ્યું છે પોતાનું ગોલ્ડ?
Exit mobile version