Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya : અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલા વિરોધ કરનાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના સૂર હવે બદલાયા.. આપ્યુ આ નિવેદન..

Ayodhya : આજે દેશભર રામમય બન્યુ છે. સમગ્ર તરફ રામજપ ચાલી રહ્યું છે .ત્યારે હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના નિવેદનો પણ બદલ્યા છે. તેમણે નિવેદન આપ્યું છે કે અમે મોદી વિરોધી નથી, પરંતુ તેમના પ્રશંસકો છીએ.

Shankaracharya Avimukteshwaranand, who had earlier opposed the Prana Pratishta of Ram Mandir in Ayodhya, now changed his tone

Shankaracharya Avimukteshwaranand, who had earlier opposed the Prana Pratishta of Ram Mandir in Ayodhya, now changed his tone

News Continuous Bureau | Mumbai 

Ayodhya : અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા  કાર્યક્રમની સંપુ્ર્ણ તૈયારીઓ પુર્ણ થઈ ગઈ છે અને હવે થોડી જ શ્રણોમાં રામ લલાનો અભિષેક (  Ram Lalla pran pratishtha ) થવા જઈ રહ્યો છે. એ જ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ( Shankaracharya Avimukteshwaranand ) , જેમણે શરૂઆતમાં રામ મંદિરના ઉદ્ઘાટનના સમય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, તેમણે તેમના નિવેદનો હવે બદલ્યા છે. તેમણે નિવેદન આપ્યું છે કે અમે મોદી વિરોધી નથી, પરંતુ તેમના પ્રશંસકો છીએ. 

Join Our WhatsApp Channel

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) હિંદુઓને ( Hindus ) આત્મજ્ઞાન કરાવ્યું છે અને તે કોઈ નાની વાત નથી. અમે જાહેરમાં ઘણી વખત કહ્યું છે કે અમે મોદી વિરોધી નથી પણ તેમના પ્રશંસકો છીએ. મને કહો કે મોદી પહેલા કોણે હિન્દુઓને આટલા મજબૂત કર્યા છે? અમે ઘણા વડાપ્રધાન જોયા છે અને તે બધા સારા છે, અમે કોઈની ટીકા નથી કરી રહ્યા.”

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે વધુમાં કહ્યું, “જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી, ત્યારે શું અમે તેને આવકાર્યું ન હતું? જ્યારે નાગરિકતા સંશોધન કાયદો બહાર આવ્યો, ત્યારે શું અમે તેને બિરદાવ્યો ન હતો? શું અમે વડા પ્રધાન મોદીની સ્વચ્છતા અભિયાનમાં અવરોધ ઊભો કર્યો હતો? સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી, અમે તેને આવકાર્યા હતો.

 જ્યારે હિંદુઓ મજબૂત બને છે, ત્યારે અમને આનંદ થાય છેઃ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે..

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, “જ્યારે હિંદુઓ મજબૂત બને છે, ત્યારે અમને આનંદ થાય છે અને નરેન્દ્ર મોદી તે કરી રહ્યા છે.”

ઉલ્લેખનીય છે કે, અગાઉ, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે વિવિધ કારણો દર્શાવીને રામમંદિરના ઉદ્ઘાટનનું આમંત્રણને ટાળ્યું હતું. મંદિર હજી સંપૂર્ણ રીતે તૈયાર નથી અને તે પહેલાં પવિત્ર થવું જોઈએ નહીં, અધૂરા મંદિરમાં ભગવાનનો અભિષેક શાસ્ત્રોમાં નિષિદ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Marathon: પશ્વિમ બંગાળની આ સ્પર્ધકે બ્રેઈન ટ્યુમરને સામે લડાઈ બાદ.. મુંબઈ મેરેથોનમાં જીત્યો બ્રોન્ઝ મેડલ.

નોંધનીય છે કે, પ્રભુ શ્રી રામ મંદિરની ( ram mandir )  પ્રાણ પ્રતિષ્ઠા માટે હવે થોડી જ ક્ષણો બાકી છે. આ પૃષ્ઠભૂમિ પર, અયોધ્યા શહેર તૈયાર કરવામાં આવ્યું હતું, મંદિરમાં ઘણા દિવસોથી વેદ જાપ અને જાપનુષ્ઠાન ચાલી રહ્યું છે. સમગ્ર વાતાવરણ રામમય જીવંત બની ગયું છે. ઘનપથ, હોમહવન, દેવાધિવાસ, ચાર વેદનું પારાયણ, પુણ્યવાચન જેવા સાત્વિક અને ધાર્મિક કાર્યક્રમો મંત્રોચ્ચાર અને રામનામના જાપ સાથે શુભ સંપન્ન થઈ રહ્યા છે.

Indian Weapon Demand બ્રહ્મોસથી લઈને આકાશતીર સુધી, દુનિયામાં વધી ભારતીય હથિયારોની ધાક, શું ડિફેન્સ સેક્ટરમાં કિંગ બનશે ભારત?
Global Crude Oil Stock યુએસઈરાન તણાવથી ક્રૂડ ઓઈલ 6% મોંઘું જાણો વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?
Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ
Exit mobile version