Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવારનો બળાપો: મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવામાં ભાજપ નિષ્ફળ ગયું એટલે અમારા પરિવારના સભ્યો પર દરોડા પાડી વેર લઈ રહ્યું છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મહાવિકાસ આઘાડી સરકારના મંત્રીઓના કથિત ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં ભાજપ કામે લાગ્યું છે. ત્યારે શરદ પવારે ફરી પોતાનો બળાપો ઠાલવ્યો છે.ભાજપે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયું નહીં. સરકારને ઉથલાવવા માટે ઘણી ઓફર કરવામાં આવી હતી, મને પણ ઓફરો મળી હતી, જોકે કોઈ પ્રતિસાદ ન મળવાની નિરાશાને કારણે વેરની રાજનીતિ શરૂ થઈ છે, એમ કહી એનસીપીના અધ્યક્ષ શરદ પવારે આ ધડાકો કર્યો છે.

તો શું મહારાષ્ટ્રમાં વીજપુરવઠો ખંડિત થશે? મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોલસાના આટલા કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને ચૂકવવાના બાકી.. જાણો વિગત.

યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે એનસીપીની બેઠક યોજાઈ ત્યારે શરદ પવારે ભાજપ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામનો સીધો ઉલ્લેખ કર્યા વગર કેન્દ્રમાં 'નંબર 1' અને 'નંબર 2' આ બન્ને એનસીપીના નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. અજીત પવાર અને અમારા પરિવારના સભ્યોના ઘરો પર દરોડા એનો જ એક ભાગ છે. પછીના વર્ષોમાં, આવી છાપે મારી વધવાની શક્યતા છે. ભલે કોઈ ગમે તેટલો ટાર્ગેટ રાખે, ગભરાવાનું કોઈ કારણ નથી, અમે પૂરી તાકાતથી લડીશું, એમ શરદ પવારે જણાવ્યું હતું.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version