Site icon

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ દિલ્હી પહોંચ્યા; રાજકીય વર્તુળોમાં શરૂ થઈ આ ચર્ચા, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાષ્ટ્રવાદી કૉન્ગેસના અધ્યક્ષ શરદ પવાર સાજા થયા બાદ હવે ફરી ઍક્શન મોડમાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ દેશમાં વિરોધને વધારવા માટે તેઓ તાજેતરમાં પ્રશાંત કિશોરને મળ્યા હતા. આ મુલાકાત બાદ હવે શરદ પવાર દિલ્હી પહોંચ્યા છે અને રાજકીય વર્તુળોમાં આ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકેદેશભરમાંથી સરખી વિચારધારાધરાવતા વિરોધ પક્ષોના નેતાઓ નવી દિલ્હી ગયા હોવાથી શરદ પાવર પણ ત્યાં ગયા છે.

શરદ પવારે NCPની વર્ષગાંઠ પર કહ્યું હતું કે “મહાવિકાસ આઘાડી સરકાર પાંચ વર્ષ ચાલશે. મને કોઈ શંકા નથી કે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ જોરશોરથી મળીને કામ કરીને હું દેશ અને રાજ્યમાં સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ અસરકારક રીતે કરીશ.” મીડિયા અહેવાલો અનુસાર એ સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોનું ગઠબંધન કરવા માટે દિલ્હી ગયા છે.

શું ખરેખર કરન્સી નોટોથી ફેલાય છે કોરોના? CAMITના સવાલનો સરકારે છ મહિનાથી આપ્યો નથી જવાબ

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની તાજેતરમાં મરાઠા અનામત અને અન્ય મુદ્દાઓ પર બેઠક મળી હતી. એ પછી શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકનો પત્ર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકેપવારની તેમની દિલ્હી મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી સાથે મુલાકાત થવાની સંભાવના નથી.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version