Site icon

Shri Krishna Janam Bhoomi Row: મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં મુસ્લિમ પક્ષને ઝટકો, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના શાહી ઇદગાહના સર્વેના આદેશ પર લીધો આ નિર્ણય..

Shri Krishna Janam Bhoomi Row: શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને મથુરાની શાહી ઈદગાહ મસ્જિદના વિવાદને લઈને મુસ્લિમ પક્ષને પણ સુપ્રીમ કોર્ટ તરફથી ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે એડવોકેટ કમિશનરની ત્રણ સભ્યોની ટીમ દ્વારા ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલ શાહી ઇદગાહ સંકુલના પ્રારંભિક સર્વેક્ષણની મંજૂરી આપતા અલ્હાબાદ હાઇકોર્ટના 14 ડિસેમ્બરના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.

Shri Krishna Janam Bhoomi Row SC refuses to stay Allahabad HC order on survey

Shri Krishna Janam Bhoomi Row SC refuses to stay Allahabad HC order on survey

 News Continuous Bureau | Mumbai

Shri Krishna Janam Bhoomi Row: શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ ( Shri Krishna Janmabhoomi  Row ) પર દેશની વડી અદાલતે (Supreme court) હાલમાં વિવાદિત જગ્યાના સર્વે ( ASI Survey ) માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ ( Order ) માં દખલ કરવાનો ઇનકાર (Refuses) કર્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે  કહ્યું કે તે પહેલાં મસ્જિદ પક્ષની અરજી છે જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સાથે સંબંધિત કેસને અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad high court) માં ટ્રાન્સફર કરવાનો પડકાર આપવામાં આવ્યો છે. તેની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે. હાલમાં કોઈ વચગાળાનો આદેશ જારી કરવાની જરૂર નથી.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે વારાણસીના જ્ઞાનવાપી સંકુલની જેમ મથુરા (Mathura) ના ઈદગાહ સંકુલના સર્વેક્ષણ માટે મુસ્લિમ પક્ષે ( Muslim Community ) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. વાસ્તવમાં, ગઈકાલે ગુરુવારે (14 ડિસેમ્બર) અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણના જન્મસ્થળની બાજુમાં આવેલા ઈદગાહ સંકુલમાં ASI સર્વે  ( ASI Survey ) કરવાની મંજૂરી આપી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણય સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટના આદેશમાં શું?

હિંદુ પક્ષ  ( Hindu Community ) ના વકીલ વિષ્ણુ જૈને માહિતી આપતાં કહ્યું હતું કે, એડવોકેટ અને કમિશનરે સર્વેને મંજૂરી આપી દીધી છે. હવે આ મામલે આગામી સુનાવણી 18મી ડિસેમ્બર, સોમવારે થશે. આ સુનાવણીમાં સર્વે કોણ કરશે અને તેનો રિપોર્ટ (Report)  ક્યારે દાખલ કરવામાં આવશે જેવી શરતો પર ચુકાદો આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Preity zinta: બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા એ તેના નામને લઈને કર્યો ખુલાસો, જાણો શું છે અભિનેત્રી નું સાચું નામ

શું છે વિવાદ?

મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઈદગાહ સંકુલમાં કમળના આકાર નો સ્તંભ અને શેષનાગનો ફોટો છે જે

તેમના જન્મની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની રક્ષા કરી. થાંભલાના નીચે હિન્દુ ધાર્મિક પ્રતીકો પણ છે. અલ્હાબાદ હાઈકોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સાથે જોડાયેલા તમામ મામલાઓ પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા હતા. અરજદારોએ વિનંતી કરી છે કે સર્વે નિર્ધારિત સમય મર્યાદામાં હાથ ધરવામાં આવે અને તેનો રિપોર્ટ સબમિટ કરવાની સૂચનાઓ સાથે એક વિશેષ કમિશનની રચના કરવામાં આવે.

 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version