Site icon News Continuous Bureau | Mumbai

New Parliament: ’75 રૂપિયાનો ચાંદીનો સિક્કો, બંધારણની નકલ’, નવી સંસદમાં પ્રવેશતા પહેલા સાંસદોને શું શું મળશે ગિફ્ટ.. જાણો સંપુર્ણ વિગતો વિગતે અહીં..

New Parliament: નવા સંસદભવનમાં આજથી વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. સવારે જૂની સંસદમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું ફોટોશૂટ થશે. નવી સંસદમાં પ્રવેશતા પહેલા કેટલીક ભેટ પણ આપવામાં આવશે.

'Silver coin of 75 rupees, copy of the Constitution', what will the MPs get before entering the new Parliament

'Silver coin of 75 rupees, copy of the Constitution', what will the MPs get before entering the new Parliament

News Continuous Bureau | Mumbai

New Parliament: દેશની 75 વર્ષની સંસદીય સફરના ઈતિહાસને સાચવતી જૂની સંસદ ( Parliament ) આજે મંગળવારે (19 સપ્ટેમ્બર)ના રોજ વિદાય લેશે. નવી સંસદમાં સાંસદોનો પ્રવેશ સવારે 11:00 વાગ્યે થશે, PM નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે સંસદ, રાજ્યસભા ( Rajya Sabha ) અને લોકસભાના (  Lok Sabha ) બંને ગૃહોના સભ્યોને વિશેષ ભેટ ( special gift ) આપવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ ભેટમાં બંધારણની નકલ ( Constitution Copy ) , 75 રૂપિયાનો ચાંદીનો સિક્કો ( silver coin ) અને નવી સંસદની સ્ટેમ્પવાળી પુસ્તિકા સામેલ છે. આ ઉપરાંત, તેમાં સંસદ ભવનની સીલ સહિત અન્ય ઘણી ભેટો પણ હશે.

સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમ

PM મોદી સવારે 11 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચશે. પીએમની સાથે લોકસભા અને રાજ્યસભાના વરિષ્ઠ મંત્રીઓ અને સાંસદો પણ હશે. આ દરમિયાન સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમ થશે જેમાં 2047 સુધીમાં ભારતને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. પીએમ સેન્ટ્રલ હોલથી બંધારણની કોપી લઈને નવી બિલ્ડિંગ તરફ ચાલશે. તમામ સાંસદો પીએમ મોદીને ફોલો કરશે.

નવી સંસદમાં પ્રવેશ કર્યા પછી, ઔપચારિક પૂજા થવાની છે જેમાં ઓછામાં ઓછો દોઢ કલાકનો સમય લાગી શકે છે. આ પછી, નવા સંસદભવનમાં બપોરે બરાબર 1.30 વાગ્યે કાર્યવાહી શરૂ થશે. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યાથી શરૂ થશે.

આ સમાચાર પણ વાંચો : Hardeep Singh Nijjar: ભારતે કેનેડાના આરોપને નકારી કાઢ્યો, કહ્યું- આ ખાલિસ્તાની આતંકવાદીની હત્યામાં તેનો કોઈ હાથ નથી, જાણો શું છે આ સમગ્ર મામલો.. વાંચો વિગતે..

 PM મોદીએ 28મી મેના રોજ ઉદ્ઘાટન કર્યું હતું

પીએમ નરેન્દ્ર મોદીએ આ વર્ષે 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું . સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થયું છે. પહેલા દિવસે જૂના સંસદ ભવનમાં કાર્યવાહી થઈ. હવે આજથી (19 સપ્ટેમ્બર)થી નવા બિલ્ડિંગમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવી બિલ્ડીંગમાં આવતીકાલે એટલે કે બુધવાર, 20 સપ્ટેમ્બરથી નિયમિત સંસદીય કાર્ય શરૂ થશે, જે 22મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો સરકાર મંગળવારે લોકસભામાં મહિલા આરક્ષણ સંબંધિત બિલને દેશના નવા સંસદ ભવનમાં રજૂ કરી શકે છે.

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version