Site icon

અહો આશ્ચર્યમ્ !! રાવણ ‘પુષ્પક’ માં બેસી ભારત આવેલાં તે હવાઈ માર્ગની શોધ કરશે શ્રીલંકા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 જુલાઈ 2020

આપણે દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ કે રાવણ શ્રીલંકાથી 'પુષ્પક' નામના વિમાનમાં ભારત આવી સીતામાતાનું અપહરણ કર્યું હતું. હવે શ્રીલંકા રાવણ સાથે સંકળાયેલા તેના વારસાને શોધવાનું કામ આરંભી રહ્યું છે. શ્રીલંકાની સિંહાલ ભાષામાં પ્રકાશિત એક જાહેરાતમાં શ્રીલંકાની 'એવિએશન ઓથોરિટીએ' લોકોને રાજા રાવણ અને હાલની ખોવાયેલી પ્રાચીન વાયુ માર્ગ વિશે કોઈ પણ પ્રકાર ના દસ્તાવેજો અથવા સાહિત્યિક પુરાવા હોય તો મોકલવા જણાવ્યું છે. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે "રાવણ ના વિમાન અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલા માર્ગો વિશે સદીઓથી વાર્તા સાંભળીએ છીએ. આથી જ આ માર્ગ વિશે સંશોધન કરવા માંગીએ છીએ."

નોંધનીય છે કે, ભારત- શ્રીલંકા વચ્ચે પ્રવાસીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખાસ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. જે રામાયણ સાથે જોડાયેલા સ્થળોની મુલાકાતે લઇ જાય છે. 

ભારતમાં રાવણને ભલે ખલનાયકના રૂપમાં જોવાતું હોય. પરંતુ, શ્રીલંકામાં સિંહલ-બૌદ્ધ લોકો આસ્થાની દૃષ્ટિએ જુએ છે. શ્રીલંકામાં રાવણને દેશના બહાદુર અને વિદ્વાન રાજા તરીકે જોવામાં આવે છે. નોંધનીય છે કે શ્રીલંકાએ તેના પ્રથમ 'ઉપગ્રહનું નામ રાવણ-1' આપ્યું છે..

જોગાનુજોગે એ છે કે, થોડા દિવસો અગાઉ નેપાળ પણ ભગવાન રામ અને અયોધ્યા પર પોતાનો દાવો સાબિત કરવા માટે પુરાતત્વીય અભ્યાસની તૈયારી કરી રહ્યું છે. બીજી બાજુ શ્રીલંકામાં રાવણના વાયુ માર્ગ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. તો ત્રીજી બાજુ ભારતમાં અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30tqQ91 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version