Site icon News Continuous Bureau | Mumbai

‘મંત્રીના નિવેદનને સરકારનું નિવેદન ન કહી શકાય’, અભિવ્યક્તિની સ્વતંત્રતા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

એક અલગ ચુકાદામાં, જસ્ટિસ બી.વી. નાગરત્ને કહ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધિકાર છે, જેથી નાગરિકોને શાસન વિશે સારી રીતે માહિતગાર અને શિક્ષિત કરી શકાય, તે અપ્રિય ભાષણમાં બદલી શકાય નહીં.

Homosexual is only problem of City Area says Government in Supreme Court

Homosexual is only problem of City Area says Government in Supreme Court

News Continuous Bureau | Mumbai

શું કોઈ મંત્રી, સાંસદ કે ધારાસભ્યના વાણી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિના અધિકાર પર નિયંત્રણો લાદી શકાય? સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. પાંચ જજની બેન્ચે ફ્રી સ્પીચ કેસ પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારના મંત્રીઓ, સાંસદો/ધારાસભ્યો અને ઉચ્ચ હોદ્દા ધરાવતા વ્યક્તિઓની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ વધારાના નિયંત્રણોની જરૂર નથી. આ સિવાય મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને સરકારનું નિવેદન ગણી શકાય નહીં.

Join Our WhatsApp Channel

જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, એએસ બોપન્ના, બીઆર ગવઈ, વી રામાસુબ્રમણ્યમ અને બીવી નાગરત્નાની બંધારણીય બેંચે કહ્યું કે સરકાર અથવા તેની બાબતોને લગતા કોઈપણ મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનો માટે પરોક્ષ રીતે સરકારને જવાબદાર ગણી શકાય નહીં.

એક અલગ ચુકાદામાં, જસ્ટિસ બી.વી. નાગરત્ને કહ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધિકાર છે, જેથી નાગરિકોને શાસન વિશે સારી રીતે માહિતગાર અને શિક્ષિત કરી શકાય, તે અપ્રિય ભાષણમાં બદલી શકાય નહીં.

આ સમાચાર પણ વાંચો :  માત્ર શાકભાજી જ નહીં, બથુઆમાંથી પણ બનાવી શકો છો સ્વાદિષ્ટ નાસ્તો, જાણો રીત

શું છે મામલો

આ મામલો ઉત્તર પ્રદેશના તત્કાલિન મંત્રી આઝમ ખાન દ્વારા ગેંગ રેપ પીડિતાઓ વિશે આપવામાં આપેલા એક નિવેદનથી શરુ થયો હતો. બુલંદશહેરની એક બળાત્કાર પીડિતાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશન પર આ મામલો 2016 માં એક મોટી બેંચને મોકલવામાં આવ્યો હતો, જ્યાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યના મંત્રી અને અગ્રણી રાજકીય વ્યક્તિત્વ (આઝમ ખાને) એ સમગ્ર ઘટનાને “માત્ર રાજકીય કાવતરું અને બીજું કંઈ નહીં” તરીકે ગણાવી દીધી હતી. બાદમાં આઝમ ખાને સામૂહિક બળાત્કારને “રાજકીય કાવતરું” ગણાવવા બદલ માફી માંગી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. પરંતુ કેસના અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને સુનાવણી ચાલુ રાખવામાં આવી હતી.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Exit mobile version