Site icon News Continuous Bureau | Mumbai

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવો પડશે ભારે, થઈ શકે છે આટલા વર્ષની જેલ.. રેલવેએ આપી ચેતવણી

Stone pelting on Vande Bharat train will be heavy will be jailed for 5 years Railways warned

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવો પડશે ભારે, થઈ શકે છે આટલા વર્ષની જેલ.. રેલવેએ આપી ચેતવણી

News Continuous Bureau | Mumbai

દેશના ઘણા રાજ્યોમાં તાજેતરના દિવસોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં જ તેલંગાણામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાજ્યના મહબૂબાબાદ જિલ્લામાં અજાણ્યા લોકોએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો હતો. તે સમયે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ મામલાની નોંધ લીધી છે અને તપાસ ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

5 વર્ષની જેલ 

પથ્થરમારાના સંદર્ભમાં, દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ લોકોને અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાની અપીલ કરી છે. રિપોર્ટ અનુસાર, SCR દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને અસામાજિક તત્વો દ્વારા તાજેતરના ભૂતકાળમાં નિશાન બનાવવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી પથ્થરમારાની નવ ઘટનાઓ સામે આવી છે.

રેલ્વેએ કહ્યું કે ટ્રેનો પર પથ્થરમારો કરવો એ ફોજદારી ગુનો છે અને આરોપીઓ સામે ભારતીય રેલવે અધિનિયમની કલમ 153 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં 5 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. રેલ્વેએ કહ્યું કે પથ્થરમારાને કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા છે, જેને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સાવરકર મામલે મોટુ ઘમાસાન. સીએમ, ડેપ્યુટી સીએમ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર બદલ્યો ડીપી, પોસ્ટ કરી આ તસવીર

ગયા મહિને વંદે ભારત સત્તાવાર રીતે શરૂ થયું તે પહેલાં જ, વિશાખાપટ્ટનમના રેલવે યાર્ડ ખાતે આ ટ્રેનના કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેનાથી બારીનો કાચ તૂટી ગયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જાન્યુઆરીએ ડિજિટલ માધ્યમથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.

39 લોકોની ધરપકડ

રેલવે પ્રોટેક્શન ફોર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે પથ્થરબાજીના મામલામાં અત્યાર સુધીમાં 39 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પથ્થરમારાની કેટલીક ઘટનાઓમાં 6 થી 17 વર્ષની વયજૂથના નાના બાળકો પણ સામેલ હતા. એસસીઆરએ જણાવ્યું હતું કે સમાજના દરેક માતા-પિતા, શિક્ષક અને વડીલોની જવાબદારી છે કે બાળકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા માર્ગદર્શન આપવું. રેલ્વેના જણાવ્યા મુજબ, આવી ઘટનાઓથી માત્ર સાર્વજનિક સંપત્તિને જ નુકસાન થયું નથી, પરંતુ ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો.

Operation Sindoor ઓપરેશન સિંદૂરના ધમાકા આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, જેની ગુંજ દુનિયાએ સાંભળી મેલબોર્નમાં PM મોદી
ICJ Proceedings ગાઝામાં ૨૦ હજાર બાળકોના મૃત્યુ પર ભારતીય જજનું કડક વલણ, ઇઝરાયલના કૃત્યો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
SBI’s role in Ram Temple donation case રામ મંદિર દાન ચોરી કેસમાં SIT એ SBI ની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ, બેંક કર્મચારીની થશે પૂછપરછ
JioTV Pro Pack માત્ર 55 રૂપિયામાં મનોરંજનનો ખજાનો, જાણો શું છે જિયોનો નવો સસ્તો રિચાર્જ પ્લાન
Exit mobile version