Site icon News Continuous Bureau | Mumbai

ફરીવાર વંદે ભારત ટ્રેનને નિશાને, પ. બંગાળ બાદ હવે આ રાજ્યમાં પથ્થરમારો કરી કોચના કાચ તોડી નાખ્યા..

આ ઘટના સોમવારે કેરળમાં બની હતી. ઉત્તર કેરળના મલપ્પુરમ જિલ્લાના તિરુનાવયા અને તિરુર સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન પર કેટલાક અજાણ્યા બદમાશોએ પથ્થરમારો કર્યો હતો.

Stone thrown at Vande Bharat in Kerala, cracks on a window

ફરીવાર વંદે ભારત ટ્રેનને નિશાને, પ. બંગાળ બાદ હવે આ રાજ્યમાં પથ્થરમારો કરી કોચના કાચ તોડી નાખ્યા..

News Continuous Bureau | Mumbai

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે આ ઘટના સોમવારે કેરળમાં બની હતી. ઉત્તર કેરળના મલપ્પુરમ જિલ્લાના તિરુનાવયા અને તિરુર સ્ટેશન વચ્ચે વંદે ભારત ટ્રેન પર કેટલાક અજાણ્યા બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. 

Join Our WhatsApp Channel

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. કેરળની પહેલી વંદે ભારત ટ્રેન જ્યારે તેના ગંતવ્ય સ્થાને જઈ રહી હતી ત્યારે તિરુનાવયા અને તિરુર વચ્ચે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોચના કાચ તૂટી ગયા હતા.  આ પછી અધિકારીઓએ આ અંગે પોલીસને જાણ કરી. જોકે આ પથ્થરમારાના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. 

વંદે ભારત પર આ પથ્થરમારો દેશમાં પ્રથમ પથ્થરમારો નથી. આ પહેલા પણ અસામાજિક તત્વો ભારતીય રેલ્વેના આ મહત્વકાંક્ષી ટ્રેન પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં પથ્થરમારો કરી ચુક્યા છે. આ રિપોર્ટમાં અમે તમને જણાવીશું કે વંદે ભારત પર અત્યાર સુધીમાં કેટલી વખત પથ્થરમારો થયો છે.

આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં પથ્થરમારો

ભૂતકાળમાં, આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના ગુડુર પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં રેલવે પોલીસે બે શકમંદોની અટકાયત કરી હતી. રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જણાવ્યા મુજબ, સિકંદરાબાદથી તિરુપતિ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ગુદુર રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા બદમાશોએ પથ્થરમારો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: મેદાન પર કોહલી અને ગંભીરની લડાઈનો વાયરલ વીડિયો, કેવી રીતે થઈ હતી લડાઈ

હાવડા-નવી જલપાઈગુડી ટ્રેન પર પાંચ વખત પથ્થરમારો

પશ્ચિમ બંગાળથી હાવડા-ન્યૂ જલપાઈગુડી જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.  પશ્ચિમ બંગાળમાં વંદે ભારત વિરુદ્ધ ઘણી ઘટનાઓ બની છે. ઈસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાંથી ફરક્કામાં પથ્થરમારો થયો હતો, જેના કારણે ત્યાં હાઈ-સ્પીડ ટ્રેનના કોચની બારીના કાચ તૂટી ગયા હતા.

મૈસુર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો

મૈસુર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની બે બારીના કાચ તૂટી ગયા હતા. SWR મુજબ, બેંગલુરુ ડિવિઝનમાં જાન્યુઆરીમાં પથ્થરબાજીના કુલ 21 અને ફેબ્રુઆરીમાં 13 વધુ કેસ નોંધાયા હતા.

Bimal Patel International Tribunal ભારતનું ગૌરવ બિમલ પટેલ આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલના જજ તરીકે ચૂંટાયા; આ તારીખથી સંભાળશે કાર્યભાર
Right to Walk નાગરિકોની મોટી જીત સુપ્રીમ કોર્ટે ફૂટપાથને ગણાવ્યો મૂળભૂત અધિકાર, અતિક્રમણ સામે મળશે રાહત
Energy Security Boost ભારતની ઉર્જા સુરક્ષા માટે રાહતના સમાચાર ૬૨,૩૭૦ ટન LNG લઈને ‘દિશા’ જહાજ ગુજરાત પહોંચ્યું
Telegram Faces Legal Setback ટેલિગ્રામને દિલ્હી હાઈકોર્ટનો મોટો ઝટકો, બેન સામેની અરજી ફગાવી
Exit mobile version