Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રગીતમાં જરૂરી ફેરફારો કરો.. સુબ્રમણ્યમ સ્વામીએ વડા પ્રધાનને ટ્વિટર પર લખ્યો ખુલ્લો પત્ર..

 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

Join Our WhatsApp Community

મુંબઈ

02 ડિસેમ્બર 2020

આપણું રાષ્ટ્રગીત ફરી એક વાર ચર્ચામાં છે. કેમકે, ભાજપના નેતા અને સ્કોલર એવાં સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને રાષ્ટ્રગીતમાં જરૂરી બદલાવ કરવા માટે પત્ર લખ્યો છે. તેમણે આગળ લખ્યું કે, 26 નવેમ્બર, 1949 ના રોજ બંધારણ સભાના અંતિમ દિવસે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 'જન ગણ મન …' ને રાષ્ટ્રગીત તરીકે મત આપ્યા વિના સ્વીકાર્યો હતો. જો કે, રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે ભવિષ્યમાં સંસદ આ ગીતના શબ્દો બદલી શકે છે, કારણ કે ઘણા સભ્યો, તે સમયે માનતા હતા કે આ ગીત અંગે ચર્ચા થવી જોઈએ. કેમકે 'જન ગણ મન.." ખાસ તો બ્રિટિશ રાજાને આવકારવા માટે 1912માં કોંગ્રેસ સત્રમાં ગવાયું હતું. એમ માનવામાં આવે છે.

તે સમયે સભ્યોની ભાવનાઓને સમજીને ડૉ.રાજેન્દ્ર પ્રસાદે આ કામ ભાવિ સંસદ પર છોડી દીધું હતું. આથી જ સ્વામીએ સંસદમાં એક ઠરાવ લાવવા વડા પ્રધાનને અપીલ કરી છે કે, "જન ગણ મનની ધૂનને ખલેલ પહોંચાડ્યા વિના તેના શબ્દો બદલવામાં આવે." સ્વામીએ એમ પણ સૂચવ્યું છે કે આમાં ફક્ત સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવેલા ફેરફારોને જ સ્વીકારી શકાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે 'જન ગણ મન ..' ગીત સૌ પ્રથમ 27 ડિસેમ્બર 1911 ના રોજ ગવાયું હતું. આ ગીત બંગાળી ભાષામાં રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું હતું. તે પહેલા આ ગીત 28 નવેમ્બરના રોજ અંગ્રેજી અખબારોની હેડલાઇન્સ બન્યું હતું. બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 ના રોજ 'જન ગણ મન' ના હિન્દી સંસ્કરણને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવ્યું.

LPG Supply Crisis: એલપીજી સિલિન્ડર માટે હજુ વર્ષો સુધી જોવી પડશે રાહ? ગેસ પુરવઠાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સમાચાર!
Kurnool Road Accident: આંધ્રપ્રદેશના કુર્નૂલમાં કાળમુખો અકસ્માત: ટેન્કર અને બોલેરો વચ્ચેની ભીષણ ટક્કરમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત, મચ્યો હાહાકાર!
Women’s Reservation Bill: ‘માતા-બહેનોનું સન્માન એ જ દેશનું સન્માન’: મહિલા આરક્ષણ બિલ પર પીએમ મોદીનો મોટો સંદેશ, નારી શક્તિના સશક્તિકરણ પર મૂક્યો ભાર!
Weather Update ક્યાંક કરા તો ક્યાંક કાળઝાળ ગરમી! જાણો તમારા શહેરમાં કેવું રહેશે હવામાન, ગુજરાતમહારાષ્ટ્ર માટે આવ્યું મોટું અપડેટ
Exit mobile version