Site icon News Continuous Bureau | Mumbai

Summer Special Train: વેકેશનનું ટેન્શન ખતમ! મુંબઈ-પુણેથી વતન જવા માટે રેલવેએ ૨૧૦૦ વધારાની સ્પેશિયલ ટ્રેનોની આપી મંજૂરી.

સેન્ટ્રલ રેલવેનો મોટો નિર્ણય; વેકેશનમાં ભીડને પહોંચી વળવા માટે વધારાની ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર મળશે સુવિધા

Summer Special Trains 2026 Central Railway to Run 2100 Special Trains from Mumbai and Pune

Summer Special Trains 2026 Central Railway to Run 2100 Special Trains from Mumbai and Pune

News Continuous Bureau | Mumbai

 ઉનાળાની રજાઓમાં વતન જવાનું આયોજન કરી રહેલા મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રેનોમાં જોવા મળતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. મુસાફરોની સુવિધા માટે મુંબઈ અને પુણેથી ૨૧૦૦થી વધુ સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી લાખો મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને વેઇટિંગ લિસ્ટની સમસ્યામાં પણ ઘટાડો થશે.

Join Our WhatsApp Channel

૨૧૦૦થી વધુ ટ્રેનોમાં રિઝર્વ્ડ અને અનરિઝર્વ્ડ બંને કોચની સુવિધા

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કુલ ૨૧૦૦થી વધુ સ્પેશિયલ ટ્રેનોમાંથી ૭૩૫ ટ્રેનો અનરિઝર્વ્ડ (વિના રિઝર્વેશન) હશે, જ્યારે ૬૨૪ રિઝર્વ્ડ ટ્રેનો મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. આ ટ્રેનો ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવી રહી છે જેઓ ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જાય છે અથવા રજાઓ ગાળવા માટે પ્રવાસ કરે છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Ramayana Teaser: ‘ટીવીની ‘સીતા’ના બદલાયા સૂર! રણબીર કપૂરની ‘રામાયણ’ જોઈ દીપિકા ચિખલિયા થઈ ફિદા, પહેલા વિરોધ અને હવે વખાણ?

મહારાષ્ટ્રની અંદર અને અન્ય રાજ્યો માટેના ખાસ રૂટ

રાજ્યની અંદર મુસાફરી કરનારા લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્પેશિયલ ટ્રેનો મુંબઈ/દૌન્ડ – સોલાપુર, પુણે – કોલ્હાપુર, નાસિક રોડ – બદનેરા અને હડપસર – હરંગુલ રૂટ પર દોડશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર બહાર ઉત્તર ભારત અને દક્ષિણ ભારત જનારા મુસાફરો માટે પણ મોટી રાહત છે. સ્પેશિયલ ટ્રેનો મુંબઈ – બલિયા, મુંબઈ – ગોરખપુર, દૌન્ડ – કલબુર્ગી અને સોલાપુર – કલબુર્ગી/અનકાપલ્લે જેવા રૂટ પર પણ ચલાવવામાં આવશે, જેનાથી યુપી અને બિહાર જનારા મુસાફરોને સીધો ફાયદો થશે.

‘ટ્રેન ઓન ડિમાન્ડ’ સેવાનો પણ મળશે લાભ

રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્પેશિયલ ટ્રેનોમાં પહેલેથી ચાલી રહેલી ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ સેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય રેલવેએ છેલ્લા નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) માં ૭૬,૩૫૨ સ્પેશિયલ ટ્રેનો ચલાવીને એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. હાલમાં દેશભરમાં રોજની અંદાજે ૨૫,૦૦૦ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. વધારાની ટ્રેનોને કારણે લાંબી મુસાફરી કરનારા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધશે અને સ્ટેશનો પર થતી ભીડને નિયંત્રિત કરી શકાશે.

 

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version