Site icon News Continuous Bureau | Mumbai

Supreme Court: UPSC ની પરીક્ષા માટે મણિપુરની બહાર જતા ઉમેદવારોને દરરોજ 3000 રૂપિયા આપોઃ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ..

Supreme Court: સુપ્રીમ કોર્ટ 140 વિદ્યાર્થીઓ વતી મણિપુરની બહાર પરીક્ષા કેન્દ્રની માંગણી કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. કાર્યવાહી દરમિયાન, કોર્ટને કહેવામાં આવ્યું હતું કે હાઇકોર્ટે રાજ્ય સરકારને તે દરેક ઉમેદવારોને 1,500 રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે તે ભથ્થામાં હવે વધારો કરીને 3000 રુપિયા કરી દિધા છે.

Supreme Court Give 3000 rupees per day to candidates going outside Manipur for UPSC exam Supreme Court's big order

Supreme Court Give 3000 rupees per day to candidates going outside Manipur for UPSC exam Supreme Court's big order

News Continuous Bureau | Mumbai 

Supreme Court: સુપ્રીમ કોર્ટે હવે મણિપુર સરકારને UPSC ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને દરરોજ 3000 રૂપિયા આપવા કહ્યું છે, જેથી તેઓ હિંસાગ્રસ્ત મણિપુરમાંથી બહાર જઈને 26 મેના રોજ પરીક્ષા આપી શકે. 

Join Our WhatsApp Channel

140 વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે તેમના પરીક્ષા કેન્દ્રને મણિપુરની ( Manipur ) બહાર સ્થાનાંતરિત કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અરજદારોએ કોર્ટને જણાવ્યું કે સુરક્ષાની ચિંતાઓને કારણે તેઓએ મણિપુરની બહાર પરીક્ષા કેન્દ્રો ( Examination Centres ) પસંદ કર્યા છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેપી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેંચ આ અરજી પર સુનાવણી કરી રહી હતી.

 Supreme Court: રાજ્ય સરકાર હાલમાં મણિપુરમાં રહેતા UPSC ઉમેદવારોને રોજના 3000 રૂપિયા આપે..

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકાર હાલમાં મણિપુરમાં રહેતા UPSC ઉમેદવારોને ( UPSC candidates ) રોજના 3000 રૂપિયા આપે, જેથી આ ઉમેદવારો રાજ્યની બહાર જઈને પરીક્ષા આપી શકે છે. કોઈપણ ઉમેદવાર કે જે આ લાભ મેળવવા માંગે છે તેણે નોડલ ઓફિસરને આ ક્રમમાં આપેલા ઈમેલ એડ્રેસ પર જાણ કરવી જોઈએ કે તે ક્યાં રહે છે.

સુનાવણી દરમિયાન, કોર્ટ સમક્ષ તે પ્રકાશમાં આવ્યું કે હાઇકોર્ટે રાજ્ય સરકારને એવા વિદ્યાર્થીઓને ( students ) 1500 રૂપિયા આપવા કહ્યું હતું જેમણે મણિપુરની બહાર પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે. CJIએ કહ્યું કે દરેક માટે પરિવહનની વ્યવસ્થા કરવી શક્ય નથી, તેથી સહાયની રકમ 1500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: FSSAI : ફળો પકવવામાં કેલ્શિયમ કાર્બાઇડના પ્રતિબંધનું પાલન સુનિશ્ચિત કરવા એફએસએસએઆઈએ ફળોના વેપારીઓને ચેતવણી આપી

 Supreme Court: રાજ્ય સરકાર UPSC ના વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ કરશે..

29 માર્ચના રોજ દિલ્હી હાઈકોર્ટને ( Delhi High Court ) જણાવ્યું હતું કે મણિપુરના UPSC ઉમેદવારો જેમણે ઈમ્ફાલને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કર્યું છે, તેઓને તેમના કેન્દ્રો બદલવાની મંજૂરી આપવામાં આવશે, તેમજ રાજ્ય સરકાર UPSCના વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ કરશે.

કમિશને કહ્યું કે આવા ઉમેદવારો મિઝોરમમાં આઈઝોલ, નાગાલેન્ડમાં કોહિમા, મેઘાલયમાં શિલોંગ, આસામમાં દિસપુર, પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને દિલ્હીને નવા કેન્દ્રો તરીકે પસંદ કરી શકે છે. આ માટે તેઓએ 8 થી 19 એપ્રિલની વચ્ચે વિનંતી મોકલવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મે 2023માં હિંસા ફાટી નીકળી ત્યારથી રાજ્યમાં 160થી વધુ લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. રાજ્યમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી, જ્યારે બહુમતી મીતાઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં આદિવાસી એકતા કૂચ પણ કાઢવામાં આવી હતી.

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Exit mobile version