Site icon News Continuous Bureau | Mumbai

Supreme Court: સુપ્રીમ કોર્ટે છૂટાછેડા મુદ્દે કહી દીધી મોટી વાત, કહ્યું- આ પછી મહિલા પૂર્વ પતિ વિરુદ્ધ ક્રૂરતાનો કેસ નહીં નોંધાવી શકે..

Supreme Court: છૂટાછેડાના છ મહિના પછી, મહિલાએ પતિ અને તેના માતાપિતા વિરુદ્ધ કલમ 498A હેઠળ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ દિલ્હી પોલીસે ફેબ્રુઆરી 2014માં એફઆઈઆર નોંધી અને સપ્ટેમ્બર 2015માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી વ્યક્તિએ ફોજદારી કાર્યવાહી ખતમ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો

Supreme Court The Supreme Court has said a big thing on the issue of divorce, said - After this, a woman cannot file a case of cruelty against her ex-husband..

Supreme Court The Supreme Court has said a big thing on the issue of divorce, said - After this, a woman cannot file a case of cruelty against her ex-husband..

 News Continuous Bureau | Mumbai 

Supreme Court: છૂટાછેડા પછી પણ પોતાના પૂર્વ પતિ ( Ex Husband ) પર માનસિક ક્રૂરતાનો આરોપ લગાવનારી મહિલાને કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 498A એટલે કે આઈપીસી હેઠળ પતિ વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને સમાપ્ત કરી દીધી છે. ખાસ વાત એ છે કે આ માટે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કર્યો હતો.  

Join Our WhatsApp Channel

મળતી માહિતી પ્રમાણે, અરુણ જૈન નામના વ્યક્તિના નવેમ્બર 1996માં લગ્ન થયા હતા. એપ્રિલ 2001માં દંપતીને એક દીકરી થઈ હતી. જો કે, વર્ષ 2007માં પતિએ સાસરા પક્ષ તરફથી દૂરી બનાવી લીધી હતી અને થોડા સમય પછી પત્નીએ છૂટાછેડાની કાર્યવાહી ( Divorce ) શરૂ કરી દીધી હતી, જે એપ્રિલ 2013માં એક પાર્ટ એનલમેન્ટ તરીકે પૂર્ણ થઈ હતી.

 છૂટાછેડાના છ મહિના પછી, મહિલાએ પતિ અને તેના માતાપિતા વિરુદ્ધ ફરિ ફરીયાદ કરી હતી…

જો કે, છૂટાછેડાના છ મહિના પછી, મહિલાએ પતિ અને તેના માતાપિતા વિરુદ્ધ કલમ 498A હેઠળ ફરિયાદ નોંધાવી. ત્યારબાદ દિલ્હી પોલીસે ( Delhi Police ) ફેબ્રુઆરી 2014માં એફઆઈઆર નોંધી અને સપ્ટેમ્બર 2015માં ચાર્જશીટ દાખલ કરી હતી. આ પછી વ્યક્તિએ ફોજદારી કાર્યવાહી ખતમ કરવા માટે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Patanjali Misleading Ads: બાબા રામદેવને આંચકો, SCએ માફી નકારી કાઢી, સુપ્રીમ કોર્ટે કહ્યું- જાણી જોઈને અમારા આદેશનો અનાદર કર્યો, કાર્યવાહી માટે તૈયાર રહો.

પતિએ જસ્ટિસ બીવી નાગરત્ન અને જસ્ટિસ ઓગસ્ટીન જી મસીહને જણાવ્યું કે, આ ગુનાહિત કાયદાનો ( mental cruelty ) દુરુપયોગ છે, કારણ કે ફેમિલી કોર્ટે તમામ પાસાઓ પર ધ્યાન આપ્યા બાદ લગ્નને રદ કર્યા હતા. કોર્ટને જણાવવામાં આવ્યું કે, 2008માં મહિલાને Protection of Women from Domestic Violence Act, 2005 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે મેરિટના આધારે તેને રદ કરી દીધો હતો. મહિલાએ પણ ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે અપીલ કરી ન હતી.

હવે, તાજેતરની સુનાવણી દરમિયાન, બેન્ચને લાગ્યું કે ફોજદારી કાર્યવાહી ચાલુ રાખીને અલગ થયેલા દંપતી વચ્ચેના મતભેદોને જીવંત રાખવાનો કોઈ અર્થ નથી. આ પછી સુપ્રીમ કોર્ટે કાર્યવાહી ખતમ કરી દીધી.

Indian Railways Honeymoon Coach નંદીગ્રામ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ‘હનીમૂન ડેકોરેશન’ કરાવવું કપલને પડ્યું મોંઘું, રેલવેએ લીધા કડક પગલાં..
Indian Weapon Demand બ્રહ્મોસથી લઈને આકાશતીર સુધી, દુનિયામાં વધી ભારતીય હથિયારોની ધાક, શું ડિફેન્સ સેક્ટરમાં કિંગ બનશે ભારત?
Global Crude Oil Stock યુએસઈરાન તણાવથી ક્રૂડ ઓઈલ 6% મોંઘું જાણો વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?
Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
Exit mobile version