Site icon

સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સી CBIની કાઢી ઝાટકણી, પેન્ડીંગ કેસ અને ચુકાદા થયેલા કેસનું માગ્યું લિસ્ટ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 04 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

શનિવાર

ભારતની સૌથી જૂની તપાસ એજન્સી સીબીઆઈ હંમેશા રાજકીય પક્ષોના નિશાના પર રહે છે. 

દરરોજ વિપક્ષી પાર્ટીઓ આ તપાસ એજન્સી પર નિષ્પક્ષ ન હોવાનો આરોપ લગાવે છે. 

હવે સુપ્રીમ કોર્ટે ની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, દેશની સૌથી મોટી અદાલત એ મૂલ્યાંકન કરશે કે સીબીઆઈની સફળતાનો દર કેટલો છે. 

આ સાથે, આ ડેટાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે કે સીબીઆઈ લોજીકલ કનકલુઝન' એટલે કે કુલ કેસોની તાર્કિક નિષ્કર્ષ પર પહોંચી છે.

આ અંતર્ગત તેમણે એ પણ જણાવવું પડશે કે તપાસ એજન્સી ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટમાં આરોપીઓને સજા અપાવવામાં કેટલા કિસ્સામાં સફળ રહી હતી. 

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ એમએમ સુદ્રેંશની ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે સીબીઆઈ માટે કેસ નોંધવા અને તપાસ કરવા માટે પૂરતું નથી, પરંતુ તેમણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે દોષિતોને સજા થાય.  

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ સમયાંતરે સીબીઆઈ વિદ્ધ કઠોર ટિપ્પણીઓ કરતી આવી છે. વર્ષ 2013 માં કોલસા કૌભાંડની સુનાવણી કરતી વખતે, એવું કહેવામાં આવ્યું હતું કે સીબીઆઈ એક પીંજરામાં બંધ પોપટ છે જે ફકત તેના માસ્ટરનું જ સાંભળે છે અને તે જ કહે છે. આ વર્ષે 6 ઓગસ્ટે પણ સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશોને ધમકી આપવાના કેસમાં સીબીઆઈ સામે નારાજગી વ્યકત કરી હતી

મહારાષ્ટ્રના આ વિસ્તારમાં સ્થિત કાપડ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી ભીષણ આગ, એકનું મોત આટલા લોકો ગંભીર રીતે ઘાયલ; જાણો વિગતે 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version