News Continuous Bureau | Mumbai
Supreme Court Waqf Act : આજે ફરી સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી પાંચ અરજીઓ પર સુનાવણી થશે. ગત 17 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આ અરજીઓની સુનાવણી કરતી વખતે વકફ મિલકતોના ડિનોટિફિકેશન અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલ સહિતના બોર્ડમાં નવી નિમણૂકો પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો અને અરજદારને આ જવાબ પર જવાબ દાખલ કરવા માટે સમય પણ આપ્યો હતો.
Supreme Court Waqf Act : સરકાર વતી સોગંદનામામાં શું કહેવામાં આવ્યું હતું
દરમિયાન વકફ સુધારા કાયદા અંગે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં, વકફ બાય યુઝરને યોગ્ય જાહેર કરવામાં આવ્યું હતું. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા 1332 પાનાના સોગંદનામામાં, જૂના વકફ કાયદાની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને, એવું કહેવામાં આવ્યું છે કે ‘વકફ બાય યુઝર’ સહિત વકફ મિલકતોની નોંધણી વર્ષ 1923થી ફરજિયાત છે. સરકારે કહ્યું કે વકફ (સુધારો) અધિનિયમ, 2025 શ્રદ્ધા અને પૂજાની બાબતોને અસ્પૃશ્ય રાખે છે અને મુસ્લિમોની ધાર્મિક પ્રથાઓનું સન્માન કરે છે.
મીડિયા રિપોર્ટ મુજબ સરકાર દ્વારા દાખલ કરાયેલા આ એફિડેવિટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 2013 માં આ કાયદામાં સુધારા પછી, વકફ જમીનમાં 20 લાખ એકરનો વધારો થયો છે. ખાનગી અને સરકારી મિલકતો પર કબજો કરવા માટે વકફ જોગવાઈઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને વકફ (સુધારા) કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દેવા વિનંતી કરી અને તેને “ખરેખર આઘાતજનક” ગણાવ્યું કે 2013ના સુધારા પછી વકફ વિસ્તારમાં 116 ટકાનો વધારો થયો છે.
Supreme Court Waqf Act :પ્રતિ-સોગંદનામામાં શું કહેવામાં આવ્યું હતું
કેન્દ્રમાં રહેલી રકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામાના જવાબમાં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સોગંદનામું દાખલ કર્યું છે. પ્રતિ-સોગંદનામામાં, કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં આપેલા ડેટા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પોતાના જવાબ સોગંદનામામાં કહ્યું છે કે સરકાર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદા પર સ્ટે આપવાનો કર્યો ઈનકાર, પણ નવી નિમણૂકો પર લગાવી રોક.. કેન્દ્રને 7 દિવસની અંદર જવાબ આપવાનો નિર્દેશ..
AIMPLB એ એમ પણ જણાવ્યું છે કે વકફ મિલકતમાં વધારાનો સરકારનો દાવો ખોટો છે. આ સોગંદનામું દાખલ કરનાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે. તેમ જ બોર્ડે પોતાના પ્રતિ-સોગંદનામામાં સરકારના એ દાવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે કે 2013 પછી કેન્દ્રીય પોર્ટલ પર નોંધાયેલ વકફ મિલકતોમાં મોટો વધારો થયો છે.
Supreme Court Waqf Act :ત્રણ ન્યાયાધીશોની બેન્ચ કરી રહી છે સુનાવણી
જણાવી દઈએ કે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ વક્ફ સુધારા કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની આ બેન્ચમાં જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનનો સમાવેશ થાય છે. આ બેન્ચ કુલ 5 અરજીઓની સુનાવણી કરી રહી છે જેમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, અસદુદ્દીન ઓવૈસી, ડીએમકે દ્વારા દાખલ કરાયેલી અરજીઓનો પણ સમાવેશ થાય છે.