Site icon

Tamil Nadu: ફટાકડાની ફેક્ટ્રીમાં ભીષણ આગ લગતા 10ના મોત, આટલા લોકો ઇજાગ્રસ્ત.. રાજ્ય સકરારે કરી સહાયની ઘોષણા.. જાણો હાલ કેવી છે સ્થિતિ.. વાંચો વિગતે અહીં..

Tamil Nadu: તમિલનાડુમાંથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં સોમવારે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને…

Tamil Nadu Fierce fire at firecracker factory in Tamil Nadu, 10 dead, 13 injured, government announces compensation

Tamil Nadu Fierce fire at firecracker factory in Tamil Nadu, 10 dead, 13 injured, government announces compensation

News Continuous Bureau | Mumbai 

Tamil Nadu: તમિલનાડુમાંથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુના અરિયાલુર ( Ariyalur ) જિલ્લામાં સોમવારે ફટાકડાની ફેક્ટરીમાં ( crackers factory )  લાગેલી આગમાં ( Fire ) ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે

Join Our WhatsApp Community

તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં સોમવારે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ( Chief Minister MK Stalin ) એક નિવેદનમાં આ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ ( Death ) પર શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારો માટે રોકડ ( Compensation ) રાહતની જાહેરાત કરી. આ ઘટના જિલ્લાના વિરાગલુર ( Viraglur ) ગામમાં એક ખાનગી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે.

 મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયાની ઘોષણા…

મુખ્યમંત્રીએ કહ્યું કે પાંચ ઘાયલ લોકોને તંજાવુર મેડિકલ કોલેજ ( Thanjavur Medical College ) અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને વિશેષ તબીબી સંભાળ આપવામાં આવી છે. સ્ટાલિને કહ્યું કે તેમણે તેમના કેબિનેટ સાથીદારો એસએસ શિવશંકર અને સીવી ગણેશનને બચાવ અને રાહત પ્રવૃત્તિઓ ઝડપી બનાવવા માટે તૈનાત કર્યા છે. તેમણે દરેક મૃતકોના પરિવારજનોને 3 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા અને મધ્યમ ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

 આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan on KBC 15: સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ના મંચ પર થઇ ગયા ભાવુક, આંખમાં આવેલ આંસુ લૂછતાં કહી આ વાત

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે કેટલાંક કર્મચારીઓ દુકાનમાં કામ કરી રહ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડી અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ખૂબ જ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આગ લાગી ત્યારે ફટાકાના ગોડાઉનમાં લગભગ 20 કર્મચારીઓ હતાં. જેમાં ચાર લોકો જીવ બચાવી બહાર નિકળવામાં સફળ રહ્યાં હતાં જ્યારે 12નું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version