Site icon News Continuous Bureau | Mumbai

Tatkal Railway Ticket Booking : 11 જુલાઈથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે

Tatkal Railway Ticket Booking : 1 જુલાઈ 2025થી અમલમાં, IRCTCની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે પ્રમાણિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.

Tatkal Railway Ticket Booking From July, no Tatkal railway ticket booking without Aadhaar authentication

Tatkal Railway Ticket Booking From July, no Tatkal railway ticket booking without Aadhaar authentication

1News Continuous Bureau | Mumbai

Tatkal Railway Ticket Booking : 

Join Our WhatsApp Channel

તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક ઍક્સેસ સુનિશ્ચિત કરવા અને વાસ્તવિક મુસાફરોના હિતોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોનો હેતુ વપરાશકર્તા પ્રમાણીકરણ વધારવા અને યોજનાનો દુરુપયોગ ઘટાડવાનો છે.

Tatkal Railway Ticket Booking :  નવી જોગવાઈઓ નીચે મુજબ છે:

1. ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ:

11 જુલાઈ 2025થી અમલમાં, IRCTCની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ ફક્ત આધાર સાથે પ્રમાણિત વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે.

વધુમાં, 15 જુલાઈ 2025થી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP પ્રમાણીકરણ ફરજિયાત બનશે.

2. PRS કાઉન્ટર અને એજન્ટો પર સિસ્ટમ-આધારિત OTP પ્રમાણીકરણ:

કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટો માટે બુકિંગ સમયે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર OTP પ્રમાણીકરણ મોકલવાની જરૂર પડશે.

આ સમાચાર પણ વાંચો :  Railway Project : મોદી સરકારે 3 રાજ્યોના 7 જિલ્લાઓને આપી મોટી ભેટ, 6400 કરોડના રેલ્વે પ્રોજેક્ટને મંજૂરી આપી

Tatkal Railway Ticket Booking : આ જોગવાઈ 15 જુલાઈ 2025થી પણ અમલમાં આવશે.

3. અધિકૃત એજન્ટો માટે બુકિંગ સમય પ્રતિબંધ:

નિર્ણાયક શરૂઆતના સમયગાળા દરમિયાન જથ્થાબંધ બુકિંગને રોકવા માટે, ભારતીય રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટોને બુકિંગ વિન્ડોની દિવસની પ્રથમ 30 મિનિટ દરમિયાન તત્કાલ ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

AC વર્ગો માટે, આ પ્રતિબંધ સવારે 10.00 થી 10.30 વાગ્યા સુધી અને નોન-AC વર્ગો માટે સવારે 11.00 થી 11:30 વાગ્યા સુધી લાગુ પડે છે.

આ ફેરફારો તત્કાલ બુકિંગમાં પારદર્શિતા સુધારવા અને યોજનાના લાભો સાચા અંતિમ વપરાશકર્તાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે.

CRIS અને IRCTCને જરૂરી સિસ્ટમ ફેરફારો કરવા અને તે મુજબ તમામ ઝોનલ રેલવે અને સંબંધિત વિભાગોને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

રેલવે મંત્રાલય તમામ મુસાફરોને આ ફેરફારોની નોંધ લેવા વિનંતી કરે છે અને દરેકને અસુવિધા ટાળવા માટે તેમના IRCTC વપરાશકર્તા પ્રોફાઇલ સાથે આધાર લિંકેજ સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version