Site icon News Continuous Bureau | Mumbai

Tahreek-E- Hurriyat: ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

Tahreek-E- Hurriyat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી જણાશે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે આ જૂથ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે

Centre declares Geelani's Tehreek-e-Hurriyat unlawful

Centre declares Geelani's Tehreek-e-Hurriyat unlawful

News Continuous Bureau | Mumbai

Tahreek-E- Hurriyat: ભારત સરકારે ( Indian Govt ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir )  (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ ( Unlawful Association ) તરીકે જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K ને ભારત ( India ) થી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ J&K માં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે”. 

Join Our WhatsApp Channel

ગૃહમંત્રીએ કહ્યું કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ( PM Modi ) ની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi : પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે

તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) નો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પ્રતિકૂળ છે. આ સંગઠન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આર્મ્સ એક્ટ, RPC અને IPC વગેરેની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

FCRA Bill JPC Review વિદેશી ફંડિંગ કાયદામાં ફેરફારથી કેમ મચ્યો હોબાળો? ચર્ચનો વિરોધ અને યુએસ દબાણ વચ્ચે સરકાર માટે JPC કેમ બન્યું સેફટી વાલ્વ
Shiv Sena Symbol Dispute પક્ષ સંગઠન મોટું કે ધારાસભ્યોની બહુમતી? સુપ્રીમ કોર્ટ સમક્ષ ઠાકરે જૂથે ઉઠાવ્યા ગંભીર સવાલ, રજૂ કરી ત્રણ મુખ્ય દલીલો
NASA Invites India Moon Base Mission ચંદ્ર પર કાયમી વસાહત વસાવવાની તૈયારી નાસાએ ભારતને આપ્યું ખાસ આમંત્રણ, સ્પેસ સાયન્સમાં રચાશે નવો ઇતિહાસ
BJP Internal Rebellion Resignations ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ એક પછી એક રાજીનામાથી હાઈકમાન્ડ ચિંતામાં, દિગ્ગજ નેતાને દિલ્હીનું તેડું
Exit mobile version