Site icon News Continuous Bureau | Mumbai

Tahreek-E- Hurriyat: ગૃહ મંત્રાલયે ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)’ને ‘ગેરકાયદેસર સંગઠન’ તરીકે જાહેર કર્યું

Tahreek-E- Hurriyat: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી જણાશે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે આ જૂથ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે

Centre declares Geelani's Tehreek-e-Hurriyat unlawful

Centre declares Geelani's Tehreek-e-Hurriyat unlawful

News Continuous Bureau | Mumbai

Tahreek-E- Hurriyat: ભારત સરકારે ( Indian Govt ) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ ‘તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર ( Jammu Kashmir )  (TeH)’ને ‘ગેરકાનૂની સંગઠન’ ( Unlawful Association ) તરીકે જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે ‘X’ પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સંગઠન J&K ને ભારત ( India ) થી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ J&K માં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે”. 

Join Our WhatsApp Channel

ગૃહમંત્રીએ કહ્યું કે “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ( PM Modi ) ની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  PM Modi : પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે

તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) નો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પ્રતિકૂળ છે. આ સંગઠન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આર્મ્સ એક્ટ, RPC અને IPC વગેરેની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sonia Gandhi Medanta Hospital। સોનિયા ગાંધી હોસ્પિટલમાં દાખલ, ટૂંક સમયમાં થશે નાની સર્જરી; કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતાનું મોજું
India LNG Import 2026। જ્યારે હોર્મુઝથી ગેસ નથી આવી રહ્યો, તો ભારતમાં કેવી રીતે થઈ રહી છે પૂર્તિ? જાણો ભારતનો ‘પ્લાનબી’
Prateek Yadav Death News। શું પારિવારિક કલેશને કારણે પ્રતીક યાદવે લીધું અંતિમ ડગલું? જિમ મિત્રએ વર્ણવી આપવીતી ‘છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ પરેશાન હતા’; જાણો અંદરની વાત
Gold Silver Price Hike May 2026| બજારમાં ભૂકંપ સોનુંચાંદી આભને આંબ્યા! એક જ દિવસમાં ચાંદી ૨૭,૭૦૦ મોંઘી, સોનાના ભાવમાં પણ રેકોર્ડબ્રેક વધારો
Exit mobile version