Site icon News Continuous Bureau | Mumbai

Telangana Election: તેલંગણાની ચૂંટણી પહેલા ભાજપે વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું… આપી ટીકીટ…. જાણો શું છે આ મામલો.. વાંચો વિગતે અહીં..

Telangana Election: શના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ તમામ પક્ષો ચૂંટણી જંગમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. એવામાં કાલે ભાજપે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે…

Telangana Election Ahead of the Telangana elections, the BJP withdrew the suspension of MLA T Raja Singh..

Telangana Election Ahead of the Telangana elections, the BJP withdrew the suspension of MLA T Raja Singh..

News Continuous Bureau | Mumbai 

Telangana Election: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની ( Assembly elections ) જાહેરાત થયા બાદ તમામ પક્ષો ચૂંટણી જંગમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. એવામાં કાલે ભાજપે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ( candidates ) પ્રથમ યાદી જાહેર કરી છે. 119 વિધાનસભા બેઠકો ધરાવતા રાજ્યમાં પાર્ટીએ પ્રથમ યાદીમાં 52 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ત્રણ સાંસદોને પણ ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 12 મહિલાઓને ( Women ) ટિકિટ મળી છે.

Join Our WhatsApp Channel

પ્રથમ યાદી અનુસાર તેલંગાણા બીજેપી અધ્યક્ષ ( Telangana BJP President ) અને સાંસદ ( MP ) બાંડી સંજય કુમારને ( Bandi Sanjay Kumar ) કરીમનગર સીટ પરથી પાર્ટીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અન્ય બે સાંસદોમાં પાર્ટીએ કોર્ટલા બેઠક પરથી સાંસદ ધર્મપુરી અરવિંદને ( Dharmapuri Arvind ) ટિકિટ આપી છે જ્યારે સોયમ બાપુ રાવને બોથ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે.

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપતા 55માંથી 12 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. અમરાજુલા શ્રીદેવીને બેલપાલીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ટી અરુણ તારા જુકલ વિધાનસભાથી ઉમેદવાર બન્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભ્ય ટી રાજા સિંહનું ( T Raja Singh ) સસ્પેન્શન પાછું ખેંચ્યું…

તેલંગાણાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિધાનસભ્ય ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. પાર્ટીના આ નિર્ણય બાદ ટી રાજા સિંહ આગામી ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર કરી શકશે. ભાજપે ટી રાજા સિંહનું સસ્પેન્શન પાછું ખેંચવા અંગે નિવેદન પણ બહાર પાડ્યું છે. આ નિવેદનમાં ભાજપે કહ્યું છે કે અમે અગાઉ ટી રાજા સિંહ પાસેથી તેમના એક નિવેદન અંગે સ્પષ્ટતા માંગી હતી. તેમના તરફથી સ્પષ્ટતાને ધ્યાનમાં લઈને અમે તેમનું સસ્પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ સમાચાર પણ વાંચો : THAAD Missile Defence System: હવે ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઉતરશે અમેરિકાનું THAAD.. જાણો કેટલું છે ખતરનાક…વાંચો વિગતે અહીં..

તેલંગાણાના બીજેપી વિધાન સભ્ય ટી.રાજા સિંહની થોડા મહિના પહેલા પયગંબર મુહમ્મદ વિશે કથિત અપમાનજનક ટિપ્પણીઓ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે પોલીસની રિમાન્ડની અરજી ફગાવી દીધા બાદ છોડી દેવામાં આવ્યા હતા. જો કે વિવિદને કારણે ભાજપે રાજા સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા.

રાજા સિંહની કથિત રીતે મોહમ્મદ પયગંબર પર અપમાનજનક ટિપ્પણીનો એક વીડિયો વાયરલ થયા બાદ હૈદરાબાદના કેટલાક વિસ્તારોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. આ પછી કેસ નોંધવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી. હૈદરાબાદ પોલીસે કહ્યું હતું કે રાજા વિરુદ્ધ ધાર્મિક આસ્થાના અપમાન સંબંધિત કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના ગોશામહાલના વિધાનસભ્ય ટી રાજા સિંહ ગયા અઠવાડિયે પણ કોમેડી શોમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરવા બદલ ચર્ચામાં આવ્યા હતા. સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીના શોને રદ કરવા માટે તેણે લગભગ 50 સમર્થકો સાથે સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

CJP Ends Agitation Following Pradhan’s Resignation સરકાર સાથેની મંત્રણા સફળ, કોકરોચ જનતા પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન સત્તાવાર રીતે સમેટાયું..
CJP Protest Ends સરકાર સાથે વાતચીત સફળ, તમામ માંગણીઓ મંજૂર, સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આંદોલન સમેટવાની કરી જાહેરાત
Dharmendra Pradhan’s Resignation As BJP’s Biggest Defeat ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ભાજપ માટે સૌથી મોટી રાજકીય હાર કેમ? વાંચો ઊંડાણપૂર્વક વિશ્લેષણ
Rahul Gandhi Reacts To Dharmendra Pradhan’s Resignation ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર રાહુલ ગાંધીનો પ્રહાર, કહ્યું ‘આ સરકારને હટાવવાનો સમય…’
Exit mobile version