Site icon News Continuous Bureau | Mumbai

Telangana: તેલંગાણા કરી રહ્યું હતું ચૂંટણીની તૈયારી, મોકો મળતા જ આંધ્રપ્રદેશે રાતોરાત ખેલ્યો આ મોટો ખેલ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..

Telangana: તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ આંધ્રપ્રદેશ સરકારે રાતોરાત મોટો ખેલ કર્યો છે. આંધ્રપ્રદેશે કૃષ્ણા નદી પર બનેલા નાગાર્જુન સાગર ડેમનો અડધો ભાગ કબજે કરી લીધો છે અને પાણીને પોતાની તરફ વાળ્યું હતું..

Telangana Telangana was preparing for elections, Andhra Pradesh played this big game overnight as soon as it got a chance

Telangana Telangana was preparing for elections, Andhra Pradesh played this big game overnight as soon as it got a chance

News Continuous Bureau | Mumbai

Telangana: તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી ( Assembly Election ) ના મતદાન પહેલા જ આંધ્રપ્રદેશ ( Andhra Pradesh ) સરકારે રાતોરાત મોટો ખેલ કર્યો છે. આંધ્રપ્રદેશે કૃષ્ણા નદી ( Krishna River ) પર બનેલા નાગાર્જુન સાગર ડેમ ( Nagarjuna Sagar Dam ) નો અડધો ભાગ કબજે કરી લીધો છે અને પાણીને પોતાની તરફ વાળ્યું છે. એ વાત જાણીતી છે કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ વચ્ચે 2014થી આ બંને રાજ્યો અલગ થયા ત્યારથી બંધને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેલંગાણાના કે.ચંદ્રશેખર રાવ (KCR) સરકારે આ અંગે કૃષ્ણા નદી વ્યવસ્થાપન બોર્ડ ( KRMB )ને ફરિયાદ કરી છે. જેમાં આંધ્ર પ્રદેશની YSRCP સરકાર પર ડેમ પર કબજો કરવાનો અને કેટલાક ભાગો પર બેરિકેડ લગાવવાનો આરોપ છે. KRMB પોતે બે રાજ્યો વચ્ચે પાણીનું વિતરણ કરે છે.

Join Our WhatsApp Channel

ગુરુવારે સવારે 1 વાગ્યા સુધી લગભગ 400 આંધ્રપ્રદેશ પોલીસ કર્મચારીઓ સાથે રાજ્ય સિંચાઈ અધિકારીઓ ડેમની નજીક હાજર રહ્યા હતા. આ રીતે, મતદાનથી જોડાયેલા તેલંગાણાની પોલીસને આશ્ચર્યચકિત કરીને, તેઓએ ડેમના 36 દરવાજામાંથી અડધા પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. જ્યારે તેલંગાણાના અધિકારીઓ અને કેટલાક પોલીસકર્મીઓ નાલગોંડામાં ડેમ નજીક પહોંચ્યા તો તેમણે આંધ્રપ્રદેશના પોલીસકર્મીઓ સાથે વિવાદ શરૂ કર્યો.છે.

ડેમના સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે….

આના પર એપી અધિકારીઓએ દલીલ કરી હતી કે તેઓ તેમની સરકાર તરફથી મળેલા આદેશોનું પાલન કરી રહ્યા છે. આવી વાતો સાંભળીને તેલંગાણાના અધિકારીઓ પાછા ફર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મલાડનો ટ્રાફિક તોબા-તોબા… હવે છુટકારો મેળવવા 105 કરોડ રૂપિયા ખર્ચી આ કામ કરાશે.. જાણો પાલિકાની યોજના વિશે…

અહેવાલ મુજબ, આંધ્રપ્રદેશના અધિકારીઓ તેલંગાણાથી આવતા વાહનોને મંજૂરી આપતા ન હતા. જેમાં રાજ્યના સરનામા સાથે આધાર કાર્ડ દર્શાવ્યું ન હતું. તેલંગાણાના અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા પણ આંધ્રપ્રદેશ દ્વારા આવી જ હરકતો કરવામાં આવી હતી, જેને નિષ્ફળ કરી દેવામાં આવી હતી. સીએમ કેસીઆરના કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘અમને માહિતી મળી છે કે આંધ્ર પ્રદેશ સરકાર 10 હજાર ક્યુસેક પાણી છોડી રહી છે. તેઓએ રેગ્યુલેટર ગેટ માટે અલગ પાવર લાઇનની વ્યવસ્થા કરી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આંધ્ર પ્રદેશ સરકાર છેલ્લા કેટલાય સપ્તાહોથી આ માટે તૈયારી કરી રહી હતી. સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા છે.

Manipur Violence।મણિપુર ફરી સળગ્યું! ઉખરુલમાં નાગાકુકી જૂથો વચ્ચે અથડામણમાં ૩ ના મોત, સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ
Bengal Election Battle। ‘નેરેટિવ’માં ભાજપ આગળ, તો બૂથ મેનેજમેન્ટમાં ટીએમસીનો દબદબો; બીજા તબક્કાની ૧૪૨ બેઠકો માટે જંગ જામ્યો
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
ED Raids। ચૂંટણી પૂર્વે ઈડીનું મોટું એક્શન પશ્ચિમ બંગાળના ૯ સ્થળોએ દરોડા, રાશન કૌભાંડમાં તપાસ તેજ
Exit mobile version