Site icon

370 કલમ હટયાની અવળી અસર.. જમ્મુ કાશ્મીરમાં ઘર-મકાન ખરીદનારને મળ્યું મોત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01જાન્યુઆરી 2021

શ્રીનગરમાં છેલ્લા 40 વર્ષથી રહેતા પંજાબના 70 વર્ષીય ઝવેરીને મોટરસાયકલ પર આવેલાં આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. કહેવાય છે કે, શહેરના રહેવાસી તરીકેનું ડોમિસાઈલ સેર્ટિફિકેટે મેળવ્યા બાદ તેણે શ્રીનગરમાં મધ્યમાં એક દુકાન અને મકાન ખરીદ્યું હતું. આનાથી નારાજ આતંકીઓ દ્વારા મહિનાની અંદર જ તેની હત્યા કરવામાં આવી. ગુરુવારે શહેરમાં ખળભળાટ મચાવતા હત્યાકાંડનો ભોગ બનેલાં ઝવેરીનું નામ સતપાલ નિશ્ચલ હતું.

પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ ટીઆરએફએ નિશ્ચલના મોતની જવાબદારી લીધી છે. પાકિસ્તાની તરફી આતંકીઓનું કહેવું છે કે અમે નવા ડોમિસાઇલ કાયદા સાથે સહમત નથી. જો સ્થાનિક કાશ્મીરીઓ સિવાય અન્ય કોઈ રાજ્યમાં સંપત્તિ ખરીદે તો તેઓ ઘુસણખોર ગણાશે. ટીઆરએફએ અન્ય માલ મિલકત ખરીદનારાઓ ના પણ આવા જ હાલ કરવાની ચીમકી આપી છે. ટીઆરએફએ ફેસબુક પર પોસ્ટ કરીને આ ધમકી આપી છે.

નિશ્ચલના સંબંધીઓએ જણાવ્યું હતું કે વાજબી ભાવો અને ગુણવત્તાવાળા દાગીનાને કારણે તેની શ્રીનગરમાં દુકાન લોકપ્રિય છે. નિશ્ચલના પોતાની પાછળ બે પુત્રો અને એક પુત્રી છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ કાયર હુમલોનો તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે.

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version