Site icon

ખરાબ સમાચાર : ભારતમાં કોરોનાથી એક જ દિવસમાં સાડાચાર હજાર લોકોનાં મોત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને લીધે 4,529 લોકોનાં મૃત્યુ થયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે. જોકે રાહતના સમાચાર એવા છે કે ગત ૨૪ કલાકમાં 2,67,000 નવા કેસ સામે આવ્યા છે, જેની સામે 3,89,001 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ભારત દેશમાં ઍક્ટિવ કેસનો આંકડો ૩૨ લાખ છે. જ્યારે આખા દેશમાં અત્યાર સુધીમાં અઢી કરોડ લોકો વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં હજી અનેક જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત્ છે.

Bharat Bandh Today: આજે ‘ભારત બંધ’: દેશભરમાં ૩૦ કરોડ શ્રમિકો હડતાળ પર, બેંક, બસ અને સરકારી કામકાજ પર થશે અસર – જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ?
Vande Bharat Train: વંદે ભારત ટ્રેનના પૈડાં થંભી ગયા! રાજસ્થાનમાં ૨ ટ્રેનો બંધ થતા મુસાફરો મુશ્કેલીમાં,જાણો શા માટે રેલવેએ લીધો આ નિર્ણય
MM Naravane Book Leak: શું ભારતની સુરક્ષા વિગતો લીક થઈ? જનરલ નરવણેનું પુસ્તક વિદેશી વેબસાઇટ્સ પર કેવી રીતે પહોંચ્યું? દિલ્હી પોલીસનો ચોંકાવનારો ઘટસ્ફોટ
CBSE On-Screen Marking: બોર્ડના પેપર ચેકિંગમાં હવે ભૂલોને કોઈ સ્થાન નથી! CBSE લાવ્યું ડિજિટલ સિસ્ટમ, જાણો કેવી રીતે ઓન-સ્ક્રીન મૂલ્યાંકનથી રિઝલ્ટ આવશે સુપર ફાસ્ટ
Exit mobile version