Site icon News Continuous Bureau | Mumbai

ખરાબ સમાચાર : ભારતમાં કોરોનાથી એક જ દિવસમાં સાડાચાર હજાર લોકોનાં મોત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને લીધે 4,529 લોકોનાં મૃત્યુ થયાં છે. ભારતમાં અત્યાર સુધીમાં મૃત્યુનો આ સૌથી મોટો આંકડો છે. જોકે રાહતના સમાચાર એવા છે કે ગત ૨૪ કલાકમાં 2,67,000 નવા કેસ સામે આવ્યા છે, જેની સામે 3,89,001 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ભારત દેશમાં ઍક્ટિવ કેસનો આંકડો ૩૨ લાખ છે. જ્યારે આખા દેશમાં અત્યાર સુધીમાં અઢી કરોડ લોકો વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યોમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાના કેસ ઘટ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં હજી અનેક જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત્ છે.

E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Global Energy Crisis મોટા મોટા દેશો ઓઈલ સંકટમાં ફસાયા, પણ ભારત નહીં; જનતાને બચાવવા સરકારે નુકસાન વેઠ્યું PM મોદી
Consumer court penalty on shoe brand ૬૦૦૦ના બ્રાન્ડેડ શૂઝનું ૧ મહિનામાં ઉખડી ગયું સોલ, કોર્ટે કંપનીને ફટકાર્યો મસમોટો દંડ
Exit mobile version