Site icon News Continuous Bureau | Mumbai

Clean Plant Program: ભારતના બાગાયતી ક્ષેત્રમાં આવશે ક્રાંતિ , કેન્દ્રીય મંત્રીમંડળે બાગાયતી ખેતીના સંકલિત વિકાસ માટેના મિશન અંતર્ગત આ પ્રોગ્રામને આપી મંજૂરી

Clean Plant Program: મંત્રીમંડળે બાગાયતી ખેતીના સંકલિત વિકાસ માટેના મિશન અંતર્ગત ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામને મંજૂરી આપી. દેશમાં બાગાયતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો મહત્ત્વાકાંક્ષી ક્લીન પ્લાન્ટ કાર્યક્રમ

The Cabinet approved the Clean Plant Program under the Mission for Integrated Development of Horticulture

The Cabinet approved the Clean Plant Program under the Mission for Integrated Development of Horticulture

News Continuous Bureau | Mumbai

Clean Plant Program:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ( Union Cabinet ) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ (સીપીપી)ને મંજૂરી આપી દીધી છે. 

Join Our WhatsApp Channel

રૂ.1,765.67 કરોડના નોંધપાત્ર રોકાણ સાથે આ અગ્રણી પહેલ ભારતમાં બાગાયતી ક્ષેત્રમાં ( Horticulture ) ક્રાંતિ લાવશે અને ઉત્કૃષ્ટતા અને ટકાઉપણા માટે નવા માપદંડો સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે.  નાણાં પ્રધાન દ્વારા ફેબ્રુઆરી 2023 માં બજેટ ભાષણમાં અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, સીપીપી દેશભરમાં ફળોના પાકની ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવાની દિશામાં એક મોટી છલાંગ રજૂ કરે છે.

Clean Plant Program:  ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ (સીપીપી)ના મુખ્ય લાભો

ખેડૂતો: સીપીપી વાયરસ-મુક્ત, ઉચ્ચ-ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીની સુલભતા પ્રદાન કરશે, જે પાકની ઉપજમાં વધારો કરશે અને આવકની તકોમાં સુધારો કરશે.

નર્સરીઓ: સુવ્યવસ્થિત સર્ટિફિકેશન પ્રક્રિયાઓ અને માળખાગત સહાય નર્સરીઓને સ્વચ્છ વાવેતર સામગ્રીનો અસરકારક રીતે પ્રચાર કરવા, વૃદ્ધિ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા સક્ષમ બનાવશે.

ઉપભોક્તા: આ પહેલ એ સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને વાયરસથી મુક્ત શ્રેષ્ઠ ઉત્પાદનનો લાભ મળે, જે ફળોના સ્વાદ, દેખાવ અને પોષક મૂલ્યમાં વધારો કરે.

નિકાસ: ઉચ્ચ ગુણવત્તાયુક્ત, રોગમુક્ત ફળોનું ઉત્પાદન કરીને ભારત અગ્રણી વૈશ્વિક નિકાસકાર તરીકેની પોતાની સ્થિતિ મજબૂત કરશે, બજારની તકો વધારશે અને આંતરરાષ્ટ્રીય ફળોના વેપારમાં તેનો હિસ્સો વધારશે.

આ સમાચાર પણ વાંચો:  Indian Railways: મંત્રીમંડળે ભારતીય રેલવેના 24,657 કરોડના આ આઠ નવી લાઇન પ્રોજેક્ટ્સને મંજૂરી આપી.. જાણો વિગતે

આ કાર્યક્રમ તમામ ખેડૂતો માટે પ્લાન્ટની સ્વચ્છ સામગ્રીની વાજબી સુલભતાને પ્રાથમિકતા આપશે, પછી ભલેને તેઓ જમીન ધરાવતા કદ કે સામાજિક-આર્થિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના હોય.

આ કાર્યક્રમ મહિલા ખેડૂતોને ( Indian Farmers ) તેના આયોજન અને અમલીકરણમાં સક્રિયપણે જોડશે, જે સંસાધનો, તાલીમ અને નિર્ણય લેવાની તકો સુધી તેમની પહોંચ સુનિશ્ચિત કરશે.

આ કાર્યક્રમ સમગ્ર ભારતમાં વિવિધ કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓનું સમાધાન કરશે, જેમાં ચોક્કસ ક્ષેત્ર-વિશિષ્ટ સ્વચ્છ છોડની જાતો અને ટેકનોલોજીનો વિકાસ થશે.

Clean Plant Program:   CPP ના મુખ્ય ઘટકો

ક્લિન પ્લાન્ટ સેન્ટર્સ ( Clean Plant Centers ): સમગ્ર ભારતમાં અદ્યતન ડાયગ્નોસ્ટિક થેરાપ્યુટિક્સ અને ટિશ્યુ કલ્ચર લેબ્સથી સજ્જ નવ વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક સીપીસીની સ્થાપના કરવામાં આવશે. તેમાં દ્રાક્ષ (એનઆરસી, પુણે), સમશીતોષ્ણ ફળો – સફરજન, બદામ, અખરોટ વગેરે (સીઆઇટીએચ, શ્રીનગર અને મુક્તેશ્વર), સાઇટ્રસ ફળો (સીસીઆરઆઈ, નાગપુર અને સિયાહ, બિકાનેર), કેરી /જામફળ /એવોકાડો (આઇઆઇએચઆર, બેંગલુરુ), કેરી / જામફળ / લીચી (સીઆઈએસએચ, લખનૌ), દાડમ (એનઆરસી, શોલાપુર) અને પૂર્વીય ભારતમાં ઉષ્ણકટિબંધીય / પેટા-ઉષ્ણકટિબંધીય ફળોનો સમાવેશ થાય છે.  આ કેન્દ્રો મોટા પાયે પ્રસાર માટે વાયરસ-મુક્ત વાવેતર સામગ્રીના ઉત્પાદન અને જાળવણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

પ્રમાણપત્ર અને કાનૂની માળખુંઃ બિયારણ ધારા, 1966 હેઠળ નિયમનકારી માળખા દ્વારા સમર્થિત એક મજબૂત સર્ટિફિકેશન સિસ્ટમનો અમલ કરવામાં આવશે, જેથી વાવેતરમાં સામગ્રીના ઉત્પાદન અને વેચાણમાં સંપૂર્ણ જવાબદારી અને ટ્રેસેબિલિટી સુનિશ્ચિત કરી શકાય.

સંવર્ધિત માળખાગત સુવિધા: માળખાગત સુવિધાનાં વિકાસ માટે મોટા પાયે નર્સરીઓને ટેકો પ્રદાન કરવામાં આવશે, જેથી સ્વચ્છ વાવેતર સામગ્રીનો અસરકારક ગુણાકાર સુલભ થશે.

સ્વચ્છ પ્લાન્ટ કાર્યક્રમ મિશન લિફ અને વન હેલ્થ પહેલો સાથે જોડાણની સાથે-સાથે ભારતના બાગાયતી ક્ષેત્રને નોંધપાત્ર પ્રોત્સાહન આપશે. તે સંતુલિત અને પર્યાવરણને અનુકૂળ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે તથા આયાતી વાવેતર સામગ્રી પરની નિર્ભરતામાં ઘટાડો કરશે. આ કાર્યક્રમ ભારતને ફળોના અગ્રણી વૈશ્વિક નિકાસકાર તરીકે સ્થાપિત કરવા અને આ ક્ષેત્રમાં પરિવર્તનશીલ પરિવર્તન લાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું હશે.  આ કાર્યક્રમનો અમલ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા ઇન્ડિકાન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) સાથે જોડાણમાં કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: BIS : બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સે આયુષ ક્ષેત્રમાં માનકીકરણ માટે વિભાગની કરી સ્થાપના.

Ram Mandir Donation Theft Case અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીનો ચોંકાવનારો ખુલાસો! ટોયલેટમાંથી મળી નોટોની થોકડીઓ, ટૂંક જ સમયમાં આટલા લાખ રિકવર!
PIL Filed in Delhi HC on Sonam Wangchuk Hunger Strike જંતરમંતર પર ભૂખ હડતાળ વચ્ચે સોનમ વાંગચુક મુદ્દે હાઈકોર્ટમાં અરજી; શું કોર્ટ આપશે પરાણે જમાડવાનો આદેશ?
Nitin Gadkari On E20 Petrol Controversy નીતિન ગડકરીનો મોટો ધડાકો શુદ્ધ પેટ્રોલ માટે ઢીલી કરવી પડશે ખિસ્સાની દોરી, જાણો ઇથેનોલ વિવાદ પર શું કહ્યું!
IRCTC New Website App Launch Updates IRCTCએ બદલી નાખી ટિકિટ બુકિંગની સિસ્ટમ! નવી એપ અને વેબસાઇટ લોન્ચ, મુસાફરોને મળશે સુપરફાસ્ટ સુવિધા!
Exit mobile version