Site icon News Continuous Bureau | Mumbai

રામ મંદિરનું શિલાન્યાસ થશે ઓક્ટોબરમાં, ડિઝાઇનમા કરાયો ફેરફાર, સંપૂર્ણ મંદિર ગુલાબી પથ્થરોથી બનશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

7 જુલાઈ 2020

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ નું કામ હવે ઓક્ટોબરમાં શરુ થશે કારણ કે હાલ શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદને લઈને કોઈ શુભ કામ નો પ્રારંભ કરવામાં આવતો નથી આથી ઓક્ટોબર નવરાત્રી દરમિયાન મંદિર નિર્માણનો શિલાન્યાસ પૂજન કરવામાં આવશે એવા સંકેતો વીએચપી દ્વારા મળ્યા છે બીજી બાજુ મસ્જિદનું નિર્માણ પણ ઓક્ટોબરમાં શરુ કરાશે. 

અયોધ્યામાં રામ મંદિરનું ‘ભૂમિપૂજન’ ઓકટોબર સુધી  વિલંબિત થશે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે સંતો દ્વારા લખાયેલા પત્રનો હજુ સુધી જવાબ આપ્યો નથી. એમ રામ મંદિરના નિર્માણની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલા 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના પ્રમુખના પ્રવક્તા કમલ નયનદાસે જણાવ્યું હતું. 

જાણવા મળ્યા મુજબ આખું મંદિર ગુલાબી પથ્થરોમાંથી બનાવવામાં આવશે. તેમજ અગાઉ જે નકશો તૈયાર કરાયો હતો તેની ડિઝાઇનમા પણ થોડાઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આમ તો આયોધ્યા રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં પથ્થર પર કોતરણી કામ વર્ષ 1990 થી શરૂ  કરીને અત્યાર સુધી લગભગ એક લાખ ઘનફૂટ પર કરવામાં આવ્યું છે અને હજુ સતત ચાલી રહ્યું છે.  મંદિર નિર્માણ માટે 60 થી 70 ટકા કાર્ય પુર્ણ થઇ ગયુ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version