Site icon News Continuous Bureau | Mumbai

કૅબિનેટ વિસ્તરણ પહેલાં આ 8 રાજ્યોના રાજ્યપાલ બદલાયા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

એક મોટા બદલાવમાં કેન્દ્ર સરકારે મંગળવારે કૅબિનેટ સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન અને રાજ્યસભામાં ગૃહના નેતા થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત નીચે મુજબ ૮ રાજ્યોના રાજ્યપાલ બદલવામાં આવ્યા છે.

મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ કંભામપતિની નિમણૂક કરવામાં આવી છે.

મંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.

હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજેન્દ્રન્ વિશ્વનાથ આર્લેકરની નિમણૂક કરવામાં આવી છે.

પી.એસ. શ્રીધરન પિલ્લઈની બદલી કરીને ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સત્યદેવ નારાયણ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રમેશ બૈસની ઝારખંડના રાજ્યપાલ તરીકે બદલી કરાઈ છે.

બંદારુ દત્તાત્રેયની હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

થાવરચંદ ગેહલોત કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમાયા છે.

શું મહારાષ્ટ્રમાં પણ ‘બિહાર પૅટર્ન’ પ્રમાણે સત્તાપરિવર્તન થશે? મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ રહી છે હલચલ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ કૅબિનેટ વિસ્તરણ ૭ જુલાઈ અથવા ૯ જુલાઈએ થશે એવા સંકેત મળી રહ્યા છે. આ અગાઉ મોટા ફેરફાર કરાયા છે.

Yudh Abhyas 2026 ભારતઅમેરિકા વચ્ચે યોજાશે ‘યુદ્ધ અભ્યાસ 2026’, LAC અને પાકિસ્તાન બોર્ડર પર થશે સંયુક્ત સૈન્ય ક્વાયત
Poonch Blast Incident પૂંચમાં LoC નજીક અકસ્માતે થયો વિસ્ફોટ ભારતીય સેનાના બે જવાનો ઈજાગ્રસ્ત; તપાસ શરૂ…
Road Accidents in India દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 2024માં 1.77 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
Stone Pelting Incident મોહન ભાગવતની મુસાફરી દરમિયાન ટ્રેન પર પથ્થરમારો, કોચને નુકસાન; સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ.
Exit mobile version