આગામી છથી આઠ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર; જાણો વૈજ્ઞાનિકોનો મત અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે, તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર માટેના સમાચારોએ જોર પકડ્યું છે. ગણિતનો ઉપયોગ કરીને ફૉર્મ્યુલા મૉડલના આધારે વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે જો ભારતમાં રસીકરણ અભિયાન હજી વધુ તીવ્રતાથી કરવામાં નહિ આવે અને લોકો જો કોરોનાના જરૂરી નિયમોનું પાલન નહિ કરે તો ભારતમાં આગામી છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે એક મીડિયા હાઉસને કહ્યું છે કે જો ઍન્ટિબૉડીઝ પૂરી થઈ જાય તો રોગપ્રતિકાર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-૧૯ના ઉપદ્રવને રોકવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. જો એમ ન થાય તો છથી આઠ મહિનામાં ત્રીજી લહેર આવે એવી શક્યતા છે.

કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના ૧૮૦ દેશોને ભરડામાં લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૨ કરોડથી વધુ લોકો આ મહામારીનો શિકાર બન્યા છે, તો વાયરસથી ૩૪.૦૩ લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
IndiGo Airlines: ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવાના છો? એરપોર્ટ જતાં પહેલાં આ એડવાઇઝરી ખાસ વાંચી લો, ઉડાનમાં વિલંબની શક્યતા.
PM Narendra Modi: વિશ્વભરમાં મોદી મેજિક! હવે ઇથોપિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન, જાણો અત્યાર સુધી કેટલા દેશોએ PM ને સન્માનિત કર્યા
Exit mobile version