Site icon News Continuous Bureau | Mumbai

આગામી છથી આઠ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર; જાણો વૈજ્ઞાનિકોનો મત અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે, તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર માટેના સમાચારોએ જોર પકડ્યું છે. ગણિતનો ઉપયોગ કરીને ફૉર્મ્યુલા મૉડલના આધારે વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે જો ભારતમાં રસીકરણ અભિયાન હજી વધુ તીવ્રતાથી કરવામાં નહિ આવે અને લોકો જો કોરોનાના જરૂરી નિયમોનું પાલન નહિ કરે તો ભારતમાં આગામી છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે એક મીડિયા હાઉસને કહ્યું છે કે જો ઍન્ટિબૉડીઝ પૂરી થઈ જાય તો રોગપ્રતિકાર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-૧૯ના ઉપદ્રવને રોકવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. જો એમ ન થાય તો છથી આઠ મહિનામાં ત્રીજી લહેર આવે એવી શક્યતા છે.

કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના ૧૮૦ દેશોને ભરડામાં લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૨ કરોડથી વધુ લોકો આ મહામારીનો શિકાર બન્યા છે, તો વાયરસથી ૩૪.૦૩ લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે.

Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.
India’s Oil Purchase Policy રશિયન ઓઈલ મુદ્દે ફિનલેન્ડનું ભારતને સમર્થન વિદેશ મંત્રીએ કહ્યું, ‘ભારત તેની જરૂરિયાત મુજબ નિર્ણય લેવા સ્વતંત્ર’.
IAF An32 Crash in Jorhat આસામના જોરહાટમાં વાયુસેનાનું An32 વિમાન ક્રેશ પાંચ વીર જવાનો શહીદ, કોપાયલટ સુરક્ષિત.
CBI Case Against Nirav Modi નીરવ મોદી માટે રાહત? સીબીઆઈને ન મળ્યા ભ્રષ્ટાચારના પુરાવા, કેસ ટ્રાન્સફર થયો.
Exit mobile version