Site icon News Continuous Bureau | Mumbai

આગામી છથી આઠ મહિનામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર; જાણો વૈજ્ઞાનિકોનો મત અહીં…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

દેશમાં કોરોનાની બીજી લહેરથી લોકો ત્રાહિમામ્ થઈ ગયા છે, તેવામાં હવે કોરોનાની ત્રીજી લહેર માટેના સમાચારોએ જોર પકડ્યું છે. ગણિતનો ઉપયોગ કરીને ફૉર્મ્યુલા મૉડલના આધારે વૈજ્ઞાનિકોએ એવી માહિતી આપી છે કે જો ભારતમાં રસીકરણ અભિયાન હજી વધુ તીવ્રતાથી કરવામાં નહિ આવે અને લોકો જો કોરોનાના જરૂરી નિયમોનું પાલન નહિ કરે તો ભારતમાં આગામી છથી આઠ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.

IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે એક મીડિયા હાઉસને કહ્યું છે કે જો ઍન્ટિબૉડીઝ પૂરી થઈ જાય તો રોગપ્રતિકાર ઓછી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, રસીકરણ વધારવું જોઈએ અને કોવિડ-૧૯ના ઉપદ્રવને રોકવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. જો એમ ન થાય તો છથી આઠ મહિનામાં ત્રીજી લહેર આવે એવી શક્યતા છે.

કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના ૧૮૦ દેશોને ભરડામાં લીધા છે. અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૨ કરોડથી વધુ લોકો આ મહામારીનો શિકાર બન્યા છે, તો વાયરસથી ૩૪.૦૩ લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે અને લોકડાઉન જેવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે.

Rahul Gandhi privilege motion notice રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન નોટિસ, ‘ઇડિયટ અને અંધભક્ત’ શબ્દનો કર્યો હતો ઉપયોગ
Ankit Sharma murder case sentencing દિલ્હી રમખાણ કેસ અંકિત શર્મા મર્ડર કેસમાં કોર્ટનો કઠોર નિર્ણય, તાહિર હુસૈનને આજીવન જેલ હવાલે કરાયો
Indians died in Middle East war મિડલ ઈસ્ટ યુદ્ધમાં ૧૬ ભારતીયોના મોત, સંસદમાં સરકારે કર્યો ખુલાસો; ઈજાગ્રસ્તોનો આંકડો ચોંકાવનારો
Assam floods toll rises આસામમાં પૂરનો કહેર, મૃત્યુઆંક વધીને ૮૦ પર પહોંચ્યો, ૮ જિલ્લામાં ૨.૧૨ લાખથી વધુ લોકો પ્રભાવિત..
Exit mobile version