Site icon News Continuous Bureau | Mumbai

શું બિહારમાં સુરંગ બનાવીને ચોર ટ્રેનનું સંપૂર્ણ એન્જિન લઈ ગયા? રેલવેએ કહ્યું સત્ય શું છે

શુક્રવારે એવું જાણવા મળ્યું હતું કે ચોરોએ યાર્ડમાં ટનલ બનાવીને એન્જિનના પાર્ટ્સની ચોરી કરવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે આખું એન્જિન ચોરી લીધું હતું. એન્જિનને સમારકામ માટે અહીં લાવવામાં આવ્યું હતું.

indian railways going to launch new passengers service contracts in trains to rectify travelers issue

Railway: ઇન્ડિયન રેલવે લાગુ કરવા જઇ રહ્યું છે આ નવી પોલિસી, ટ્રેનોમાં થશે સફાઇ, ગંદા કમ્બલ-ખરાબ ખાવાનાથી મળશે છુટકારો

 News Continuous Bureau | Mumbai

બિહાર (Bihar) માં સુરંગ (Tunnel) બનાવીને રેલવે યાર્ડમાંથી આખું ડીઝલ એન્જિન (Engine)  ગુમ થવાના સમાચાર પર હવે રેલવે તરફથી ખુલાસો આવ્યો છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે ટનલ ખોદવા અને એન્જિન ગુમ થવા એ પાયાવિહોણા અને ખોટા સમાચાર છે. વાસ્તવમાં એન્જિનની અંદરથી કોપર વાયરની ચોરી થઈ હતી. જેને કેટલાક મીડિયા દ્વારા આખા એન્જિનની ચોરીનો મામલો કહેવામાં આવી રહ્યો છે. રેલ્વેએ કહ્યું કે આ મામલાની તાત્કાલિક સંજ્ઞાન લઈને, આ બાબતની જાણ થતાં જ રેલ્વે દ્વારા 95% ગુમ થયેલ સામાન પરત મળી ગયો છે. તેમજ આમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

 તમને જણાવી દઈએ કે શુક્રવારે સમાચાર સામે આવ્યા હતા કે ચોરો (Theft) એ બેગુસરાય જિલ્લામાં સ્થિત રેલ્વે યાર્ડમાંથી એક આખું ડીઝલ એન્જિનના ભાગોમાં ખોલીને ચોરી (Thives) કરી લીધી હતી. ચોરોએ યાર્ડમાં ટનલ બનાવીને એન્જિનના પાર્ટ્સની ચોરી કરવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે આખું એન્જિન ચોરી લીધું. એન્જિનને સમારકામ માટે અહીં લાવવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: સાપ ચપ્પલને સમજી બેઠો શિકાર, મોઢામાં લઈને નાઠો. જુઓ ચપ્પલ ચોર સાપ નો વિડીયો.

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version