દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબુમાં આવી રહી છે, તે સમયે એસબીઆઈ ઈકોરેપના રિપોર્ટમાં જણાવાયુ છે કે ત્રીજી લહેર બીજી કરતા પણ વધુ ઘાતકી હશે અને તે 98 દિવસ ચાલશે.
રિપોર્ટમાં એવું પણ જણાવાયું કે સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરીને તથા વેક્સિનેશન અભિયાનને વિસ્તારીત કરીને મોતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.
જોકે પૂરી તૈયારી કરીને તથા બીજી લહેરની ભૂલોમાંથી શીખીને મોતનો આંકડો ઘટાડીને 40,000 સુધી લાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે બીજી લહેરનો સમયગાળો 108 દિવસનો રહ્યો છે. બીજી લહેરમાં 1.7 લાખ લોકોના મોત થયા છે.
તો હવે આ કંપની બનાવશે કોવેક્સિનના ૨૨ કરોડ ડોઝ; મહારાષ્ટ્રને થશે મોટો લાભ, જાણો વિગત
