Site icon

ભારતરત્નથી સન્માનિત આ એકમાત્ર એવી વ્યક્તિ છે, જેણે નિ:શુલ્ક હવાઈ સેવાનો લાભ લીધો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

ભારતરત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક ઍવૉર્ડ છે. બધા ભારતરત્નથી સન્માનિત ઍર ઇન્ડિયાની  ફ્લાઇટ્સમાં આજીવન મફત હવાઈ મુસાફરીના હકદાર છે અને એ પણ સર્વોચ્ચ વર્ગમાં. એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસે RTI ફાઈલ કરી ઍર ઇન્ડિયાને આ અંગે સવાલ પૂછ્યો હતો કે આ સ્કીમ ક્યારથી શરૂ કરવામાં આવી? અમર્ત્ય સેને કેટલી વાર આ લાભ મેળવ્યો છે? અને તેમના આ નિ:શુલ્ક પ્રવાસનું નાણાકીય મૂલ્ય કેટલું છે?

RTIના જવાબમાં ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભારતરત્નથી સન્માનિત લોકોને નિ:શુલ્ક હવાઈ પ્રવાસની યોજના ૨૦૦૩માં શરૂ કરવામાં આવી હતી. એ સમયે અટલ બિહારી વાજપાયી વડા પ્રધાનપદ પર હતા. અમર્ત્ય સેન વિશે, ઍર ઇન્ડિયાએ મીડિયા હાઉસે કરેલી RTIના જવાબમાં કહ્યું હતું કે તેમણે 2015થી લઈને 2019 સુધી 21 વખત આ સુવિધાનો લાભ લીધો છે. ઍરલાઇન્સે જણાવ્યું હતું કે "તેમના પ્રવાસના નાણાકીય મૂલ્યની આકારણી કરી શકાતી નથી, કારણ કે મુસાફરીના સમય અને તારીખ પરના ભાડાની માહિતી ઉપલબ્ધ નથી.”

ભારતમાં કોરોનાની ગતિ ફરી વધી, છેલ્લા 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ આવ્યા સામે ;  જાણો આજના તાજા આંકડા

ઉલ્લેખનીય છે કે ભારતરત્ન આજ સુધીમાં 48 લોકોને આપવામાં આવ્યો છે. પ્રોફેસર અમર્ત્ય સેન સિવાય ફક્ત ત્રણ અન્ય ભારતરત્નથી સન્માનિત વ્યક્તિઓ છે જે હજી જીવંત છે – લતા મંગેશકર (2001), સચિન તેંડુલકર (2014) અને પ્રોફેસર સી. એન. આર. રાવ (2014).

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version