Site icon

ખુશખબરી: કોરોનાને કારણે નોકરી ગુમાવનારાઓને 90 દિવસનો અડધો પગાર મળશે.. પરંતું કેન્દ્ર સરકારની આ છે કેટલીક શરતો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 ઓગસ્ટ 2020

કોરોનાના રોગચાળાએ દેશના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે અને ઘણાંના નોકરી ધંધાઓ બંધ થઈ ગયાં છે. કેન્દ્ર સરકારે કોરોનાને કારણે નોકરી ગુમાવનારા કામદારોને આર્થીક સહાયની જાહેરાત કરી છે. કેંદ્ર સરકારે બેકારી ભથ્થા તરીકે 90 દિવસનો અડધો પગાર આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય વીમા નિગમ (ESIC) ના સભ્યો તરીકે નોંધાયેલા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. એમ પણ કહેવાયું છે.

કોરોના સંકટથી સૌથી વધુ અસરગ્રસ્ત કામદારોને આર્થિક સહાય માટે કેન્દ્રીય નાણાં મંત્રાલય અને નીતિ આયોગે સરકાર પાસે નિયમોમાં છૂટછાટની માંગ કરી હતી. તદનુસાર, કોરોના સમયગાળા દરમિયાન નોકરી ગુમાવનારા રાજ્ય વીમા નિગમના કર્મચારીઓને પણ બેકારીનો લાભ આપવાનો નિર્ણય, કેન્દ્રીય શ્રમ પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી ઇએસઆઈસીની બેઠકમાં લેવામાં આવ્યો છે.

'અટલ વિમા કલ્યાણ યોજના' અંતર્ગત બેરોજગારીના લાભાર્થીઓ માટે યોગ્યતાના માપદંડ, હળવા કરવામાં આવ્યા છે. કોરોના સમયગાળા દરમિયાન નોકરી કરનાર વ્યક્તિને ત્રણ મહિનાના સરેરાશ પગારના 50 ટકા જેટલું બેરોજગારી ભથ્થુ ચૂકવવામાં આવશે. અગાઉ, મર્યાદા 25 ટકાની જ હતી. અગાઉ, યોજના પૂર્ણ થતાં 90 દિવસ લાગતાં હતાં. પરંતુ હવે 30 દિવસમાં જ બેકારોને મદદ મળી જશે.

યોજનાથી કોને કોને લાભ થશે ? 

# 24 માર્ચથી 31 ડિસેમ્બરની વચ્ચે લોકડાઉનમાં નોકરી ગુમાવનારા કર્મચારીઓ તેમના પગારના 50 ટકા દાવા માટે પાત્ર બનશે. 

# આ માટે, કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષ ESIC સાથે સંકળાયેલા હોવું જોઈએ. જે લોકો આ યોજનાનો લાભ લેશે તેમને 1 એપ્રિલ 2018 થી 31 માર્ચ 2020 સુધીનો ફાયદો થશે.

# તેઓએ 1 ઓક્ટોબર 2019 થી 31 માર્ચ 2020 ની વચ્ચે ઓછામાં ઓછા 78 દિવસ કામ કર્યું હોવું જોઈએ.

# ESI હેઠળ માત્ર 21,000 રૂપિયા સુધીના પગાર ધરાવતા કામદારોને જ આ યોજનાનો લાભ મળશે.

# આ માટે, કાર્યકરનું નામ અને તેની નોકરીની નોંધણી ઇએસઆઈ સાથે થઈ હોવી જોઈએ..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Exit mobile version