Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યાના પાયામાં ચણાયો ‘અયોધ્યાનો ઇતિહાસ અને વર્તમાન’.. જાણો શુ છે આ ટાઈમ મશીન કેપ્સુલ.!??

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

28 જુલાઈ 2020

અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ ને લઈને જે પ્રકારનો વિવાદ દાયકાઓ અને સદીઓ સુધી ચાલ્યો, એવો વિવાદ ફરી ઊભો ન થાય તેની ખાતરી રૂપે ટાઇમ મશીન કેપ્સુલ રામ મંદિરના પાયામાં ચણાશે. આશરે જમીનથી 200 ફૂટ નીચે એક કન્ટેનરમાં આના ઐતિહાસિક દસ્તાવેજ મુકવામાં આવશે. જેને એક મહત્વના ઐતિહાસિક દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવશે. 

ટાઈમ મશીન કેપ્સુલ એટલે ' જેમાં જે તે કાળની સામાજિક, રાજનૈતિક, સાંસ્કૃતિક સ્થિતિ નો ઉલ્લેખ હોય. જે તે સમયનો કાળ, સમય, તિથિ, ગ્રહ, નક્ષત્ર નો ઉલ્લેખ હોય તેને ટાઈમ કેપ્સુલ કહેવામાં આવે છે.'

ભારતમાં આ પહેલા પણ આવી રીતે ટાઈમ મશીન કેપ્સુલ ઐતિહાસિક મહત્વ ધરાવતી ઈમારતોના પાયા માં મુકવામાં આવી છે. 

1973 માં ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લા ના પાયા માં આવી જ એક ટાઈમ કેપ્સ્યુલ મુકાવી હતી. જેને 'કાલપત્ર' નામ આપવામાં આવ્યું હતું. તત્કાલીન સરકાર ચાહતી હતી કે આઝાદીના 25 વર્ષ પછીની સ્થિતિ અને ઈતિહાસને રાખવામાં આવે. તે સમયે ભૂતકાળની મહત્વપૂર્ણ ઘટનાઓ રેકોર્ડ કરવાનું કામ 'ભારતીય ઐતિહાસિક સંશોધન પરિષદ'ને સોંપવામાં આવ્યું હતું. પરંતુ, આ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગયો હતો. કહેવાતું હતું કે આ 'કાલપત્ર' માં ઇન્દિરા ગાંધીએ પોતાના પરિવારની પ્રશંસાઓ લખીને મૂકી હતી. તે જ સમયે આવનારી ચુંટણીઓમાં ઈન્દિરા ગાંધીનું 'કાલપત્ર ટાઇમ મશીન કેપ્સુલ' બહુ મોટો ચુનાવી મુદ્દો બન્યો હતો. જયારે 1977 માં સત્તા પર આવેલા મોરારજી દેસાઈએ જમીનમાંથી આ ટાઇમ મશીન કેપ્સુલ બહાર કઢાવી હતી. પરંતુ, તેમાં શું લખ્યું હતું તે સરકારે જાહેર કર્યું ન હતું અને આજે પણ 'કાલ પત્ર' એક પહેલી જ બની રહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

PM Modi Calls Harsimrat Kaur Badal સુખબીર બાદલ પર હુમલો પીએમ મોદીએ સાંસદ હરસિમરત કૌર બાદલ સાથે ફોન પર વાત કરી ખબર અંતર જાણ્યા.
Parliament Monsoon Session Cost Loss નેતાઓની લડાઈ અને જનતાને નુકસાન…! ૧૯ દિવસના સત્રમાં ૧૯ કલાક પણ કામ ન થયું, કરોડો રૂપિયા વેડફાયા.
Sukhbir Singh Badal Attacked સુરક્ષાના દાવા પોકળ? અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થતાં મચી ખળભળાટ.
Air India AI2379 Turbulence હવામાં મુસાફરોના શ્વાસ અધ્ધર! ફુકેટદિલ્હી ફ્લાઇટમાં ખતરનાક ટર્બ્યુલન્સ સર્જાયા બાદ પાયલટે આપ્યો કટોકટીનો સંદેશ.
Exit mobile version