Site icon News Continuous Bureau | Mumbai

કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી મેદાનમાં ઉતર્યા ભગવાન રામ , કૃષ્ણ અને હનુમાન દાદા.જાણો આ રાજ્યનો અનોખો કિસ્સો.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
    ગત એક વર્ષથી દેશભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પ્રસાસન,તબીબ અને પોલીસ તે અંગે લોકોને સભાન કરવામાં લાગી ગયું છે. કેન્દ્ર સરકારે તે અંગે ગાઇડલાઇન પણ બહાર પડી છે. તો હવે સામાન્ય જનતા પણઆ સંદર્ભે હવે મેદાનમાં ઉતરી છે.


         કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રામનવમીના અવસર પર લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના  હેતુ થી બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ અનોખો આઈડિયા વાપર્યો હતો. આ ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને લોકો વચ્ચે કોરોનાને લઈને જાગૃત્તિ ફેલાવવા માટે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાની સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તેવા લોકોને માસ્ક પણ પહેરાવ્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય ભગવાનનો  વેશ લઈને  રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા.

Join Our WhatsApp Channel

સારા સમાચાર : 18 વર્ષથી વધુ ઉપરના લોકો આ તારીખ થી કરાવી શકશે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
 

PM Modi on US Iran Deal અમેરિકાઈરાન શાંતિ કરાર પર વડાપ્રધાન મોદીનું ટ્વીટ ‘આ સમજૂતીથી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા બહાલ થશે’
Safety Advisory for Indian Seafarers ભારત સરકારનું કડક પગલું હોર્મુઝ સંકટ વચ્ચે ભારતીય નાવિકોની સુરક્ષા માટે નવી ભરતી સ્થગિત
Monsoon Delay Challenges દરિયામાં ભેજ હોવા છતાં ચોમાસું સુસ્ત પવનોની ખેંચતાણ વચ્ચે અટવાઈ ‘મોનસૂન એક્સપ્રેસ’
Impact of US Iran Deal on Fuel Prices અમેરિકાઈરાન સમજૂતીની અસર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, શું ભારતમાં ઘટશે પેટ્રોલડીઝલના ભાવ?
Exit mobile version