Site icon News Continuous Bureau | Mumbai

દેશને સંબોધન કરતાં પીએમ મોદી થયાં ભાવુક.. કહ્યું કોરોનાની રસીને લઈ દરેક ભારતીય આજે ગર્વ અનુભવે છે. જાણો વિસ્તૃત મુદ્દાઓ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021 

આજે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. સૌથી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત જ નથી ફર્યા. 

Join Our WhatsApp Community

# પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ # 

> પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. 

> દેશમાં 3006 કેન્દ્રો પર રસીકરણની શરૂઆત થઈ. 

> દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ થઇ થયું. 

> બહુ ઓછા સમયમાં બે બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન મળી. આ રસી ભારતના ટેલેન્ટનો પુરાવો છે. 

> વેક્સિનેશન અભિયાન સિદ્ધાંત પર આધારિત છે. ડોક્ટર, મેડિકલ સ્ટાફને સૌથી પહેલા રસી મળશે. હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વોરિયરને પણ મળશે રસી. 

> વિદેશી રસી કરતા ભારતની રસી બહુ સસ્તી અને ઉપયોગમાં સરળ છે. 

> અફવાથી દુર રહેવાની અપિલ કરતા મોદીએ કહ્યું કે, ભારતની દુનિયામાં વિશ્વસનીયતા છે. મોટાભાગની બાળકો માટેની રસી આજે ભારતમાં બને છે. 

> રસીકરણ માટે ટ્રેકિગથી રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરાઈ છે. રસીકરણના બે ડોઝ લેવા જરૂરી. બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવું પણ જરૂરી છે

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version