Site icon News Continuous Bureau | Mumbai

E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.

E30 Petrol India:મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ‘એનર્જી સિક્યોરિટી’ મજબૂત કરવા ડિસ્ટિલર્સ એસોસિએશનનો મોટો પ્રસ્તાવ, ડીઝલમાં પણ એથેનોલ ભેળવવાની શક્યતાઓ પર ભાર; પીએમ મોદીએ ગણાવ્યા ફાયદા.

Towards E30 Fuel: AIDA Urges Government to Increase Ethanol Blending to 30%; Focus on Flex-Fuel Vehicles to Strengthen Energy Security

Towards E30 Fuel: AIDA Urges Government to Increase Ethanol Blending to 30%; Focus on Flex-Fuel Vehicles to Strengthen Energy Security

News Continuous Bureau | Mumbai

E30 Petrol India: વિશ્વમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને મોંઘા થતા તેલ વચ્ચે ભારત હવે આત્મનિર્ભર બનવા તરફ ડગ માંડી રહ્યું છે. ઓલ ઈન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન (AIDA) એ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને પેટ્રોલનમાં એથેનોલનું પ્રમાણ ૨૦% થી વધારીને ૩૦% (E30) કરવાની માંગ કરી છે. આ પગલું માત્ર ઈંધણની બચત જ નહીં, પણ દેશના વિદેશી હૂંડિયામણની પણ રક્ષા કરશે.

Join Our WhatsApp Channel

એથેનોલથી ભારતને શું થયો ફાયદો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા ૧૧ વર્ષમાં પોતાની ઉર્જા જરૂરિયાતોનું વૈવિધ્યકરણ (Diversification) કર્યું છે.એથેનોલ બ્લેન્ડિંગને કારણે ભારત દર વર્ષે આશરે ૪.૫ કરોડ બેરલ ઓછું પેટ્રોલ આયાત કરી રહ્યું છે.એક દાયકા પહેલા પેટ્રોલનમાં માત્ર ૧-૨% એથેનોલ ભેળવવામાં આવતું હતું, જે આજે ૨૦% (E20) સુધી પહોંચી ગયું છે.ભારતે નક્કી કરેલા સમય કરતા વહેલા E20 નો લક્ષ્યાંક પૂરો કર્યો છે, જે અર્થતંત્ર માટે સુરક્ષા કવચ સમાન છે.

આ સમાચાર પણ વાંચો : Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.

E20 પછી હવે E30 અને ફ્લેક્સ-ફ્યુઅલ

 AIDA એ સૂચવ્યું છે કે ભારત હવે E30 તરફ આગળ વધવા માટે સક્ષમ છે. આ માટે ‘ફ્લેક્સ-ફ્યુઅલ’ (Flex-Fuel) વાહનોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.આ વાહનો ૧૦૦% એથેનોલ પર પણ ચાલી શકે છે. બ્રાઝિલ જેવા દેશોમાં આ ટેકનોલોજી અત્યંત સફળ રહી છે. એથેનોલની માંગ વધવાથી શેરડી પકવતા ખેડૂતોને તેમની ઉપજના વધુ સારા ભાવ મળશે અને ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થશે.

ડીઝલ અને રસોઈમાં પણ એથેનોલનો ઉપયોગ

 એસોસિએશને માત્ર પેટ્રોલ જ નહીં, પણ ડીઝલમાં પણ એથેનોલ ભેળવવાની દરખાસ્ત કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અગાઉ જણાવ્યું હતું કે, પુણેમાં ડીઝલમાં ૧૦% આઈસોબ્યુટેનોલ (Isobutanol) ભેળવવાના પ્રયોગો ચાલી રહ્યા છે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં લાકડાના વિકલ્પે એથેનોલ આધારિત કૂકિંગ સિસ્ટમ અને બર્નરને પ્રોત્સાહન આપવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

New CDS of India 2026। દેશને મળ્યા નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ એન. એસ. રાજા સુબ્રમણિ સંભાળશે કમાન, જાણો કેવું રહ્યું તેમનું કરિયર
Tamil Nadu Government Crisis| તમિલનાડુમાં હાઈવોલ્ટેજ ડ્રામા સત્તાની નજીક પહોંચીને રહી ગયા અભિનેતા વિજય, જાણો કેવી રીતે અટકી ગઈ મુખ્યમંત્રીની ખુરશી
West Bengal New CM 2026। પશ્ચિમ બંગાળમાં નવો યુગ! મમતાના ગઢમાં ગાબડું પાડનાર શુભેન્દુ અધિકારી લેશે CM તરીકે શપથ, જાણો તેમનું રાજકીય કદ
Bijnor Watermelon Poisoning। તરબૂચ ખાતા પહેલા ૧૦૦ વાર વિચારજો! મુંબઈ જેવી જ ઘટના બિજનૌરમાં બની, ફળ ખાધા બાદ પુત્રીનું કરૂણ મોત
Exit mobile version