Site icon News Continuous Bureau | Mumbai

Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!

Tragic Accident in Punjab: આનંદપુર સાહિબના દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ; ટાયર ફાટવાને કારણે બસે નિયંત્રણ ગુમાવ્યું અને સર્જાયો કાળમુખો અકસ્માત.

Tragic Accident in Punjab Bus carrying devotees overturns in Fatehgarh Sahib; 6 killed, 25 injured

Tragic Accident in Punjab Bus carrying devotees overturns in Fatehgarh Sahib; 6 killed, 25 injured

News Continuous Bureau | Mumbai

 પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક બસ અચાનક અનિયંત્રિત થઈને પલટી જતાં 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આશરે 25 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામ શ્રદ્ધાળુઓ આનંદપુર સાહિબમાં દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે બસ્સી પઠાણા પાસે આ અકસ્માત નડ્યો હતો.

Join Our WhatsApp Channel

બસનું ટાયર ફાટતા ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું

અકસ્માતમાં બચી ગયેલી એક મહિલા પ્રવાસીના જણાવ્યા અનુસાર, બસનું એક ટાયર અચાનક ફાટ્યું હતું, જેના કારણે ડ્રાઈવરે વાહન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. બસ એક બાજુ નમી ગઈ અને રસ્તાના કિનારે આવેલા થાંભલા સાથે જોરદાર અથડાઈને પલટી ગઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં સવાર મુસાફરો સીટ પરથી ઉછળીને નીચે પડ્યા હતા અને બસની અંદર ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 35 થી 40 શ્રદ્ધાળુઓ સવાર હતા.

આ સમાચાર પણ વાંચો : Samrat Chaudhary to create history: બિહારમાં ‘સમ્રાટ’ યુગની શરૂઆત: મુખ્યમંત્રી બનતાની સાથે જ નોંધાશે એવો રેકોર્ડ જે દાયકાઓથી અકબંધ હતો.

સ્થાનિક લોકોએ દેવદૂત બનીને બચાવ કામગીરી કરી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ તરત જ આસપાસના ગ્રામીણો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શરૂઆતમાં એમ્બ્યુલન્સ સમયસર ન પહોંચતા, ગ્રામીણોએ પોતાના ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. જો સ્થાનિક લોકોએ સમયસૂચકતા ન વાપરી હોત તો મૃત્યુઆંક વધી શક્યો હોત. પોલીસે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી અને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસ અને ઘાયલોની હોસ્પિટલની વિગતો

પ્રાથમિક તપાસમાં બસમાં યાંત્રિક ખામી અથવા ટાયર ફાટવાને કારણે અકસ્માત થયો હોવાની આશંકા છે. હાલમાં 15 ઘાયલો મોરિંડા હોસ્પિટલમાં અને 9 ઘાયલો ફતેહગઢ સાહિબ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
BRICS Summit India Agenda બ્રિક્સ મંચ પર ભારતનો પાવર શો સપ્લાય ચેઇનની મજબૂતી અને લોકલ કરન્સીમાં વેપાર માટે તૈયાર કર્યો મહત્ત્વપૂર્ણ રોડમેપ
India Rescue Operation Nepal ચીનનેપાળ સરહદે કુદરતી આફત ૪૦૦ ભારતીયો ફસાયા, ૧૦૦ લાપતા; ભારત સરકારનો મેગા રેસ્ક્યૂ પ્લાન તૈયાર
Exit mobile version