Site icon News Continuous Bureau | Mumbai

T.V Somanathan:1987 બેચના IAS અધિકારી ટીવી સોમનાથને નવા કેબિનેટ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

T.V Somanathan:ડૉ. ટી. વી. સોમનાથને આજે શ્રી રાજીવ ગૌબાની સેવાનિવૃત્તિ પછી ભારત સરકારમાં નવા કેબિનેટ સચિવ તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે.

TV Somanathan, a 1987 batch IAS officer, took charge as the new Cabinet Secretary

TV Somanathan, a 1987 batch IAS officer, took charge as the new Cabinet Secretary

 News Continuous Bureau | Mumbai 
T.V Somanathan:ડૉ. ટી. વી. સોમનાથને આજે શ્રી રાજીવ ગૌબાની સેવાનિવૃત્તિ પછી ભારત સરકારમાં નવા કેબિનેટ સચિવ તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે. ડો. સોમનાથન તમિલનાડુ કેડર (1987 બેચ)ના આઈએએસ અધિકારી છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ પૂર્ણ કર્યો છે, અને તેઓ સંપૂર્ણપણે લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે.

ડો. સોમનાથને કેન્દ્રમાં સંયુક્ત સચિવ અને પ્રધાનમંત્રીના કાર્યાલયમાં અધિક સચિવ જેવા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે. તેમણે કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ સેવા આપી હતી અને વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંકમાં કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેબિનેટ સચિવ તરીકે જોડાતા પહેલા, તેઓ નાણાં સચિવ અને ખર્ચ વિભાગના સચિવનો હવાલો સંભાળતા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: CBIC:સીબીઆઇસીએ લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનો (એલસીએસ)ની કામગીરી પર 4થી નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું

તમિલનાડુની રાજ્ય સરકારમાં ડૉ. સોમનાથને જીએસટીના અમલના નિર્ણાયક તબક્કા દરમિયાન ચેન્નાઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, મુખ્યમંત્રીના સચિવ અને અધિક મુખ્ય સચિવ અને વાણિજ્યિક કર કમિશનર જેવા અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા પર સેવા આપી હતી. તેમણે શિસ્તભંગની કાર્યવાહીના કમિશનર તરીકે પણ સેવા આપી હતી. મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, ચેન્નાઈના સ્થાપક મેનેજિંગ ડિરેક્ટર તરીકે, તેઓ નાણાકીય બંધ કરવા અને ચેન્નાઈ મેટ્રો રેલ પ્રોજેક્ટના અમલીકરણ માટે પ્રારંભિક ટેન્ડરો આપવા માટે જવાબદાર હતા.

ડો. સોમનાથને 1996માં યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ મારફતે વર્લ્ડ બેંક, વોશિંગ્ટનમાં ઇસ્ટ એશિયા એન્ડ પેસિફિક રિજનલ વાઇસ પ્રેસિડેન્સીમાં ફાઇનાન્સિયલ ઇકોનોમિસ્ટ તરીકે જોડાયા હતા. જ્યારે તેમને બજેટ પોલિસી ગ્રુપના મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેઓ બેંકના સૌથી યુવાન સેક્ટર મેનેજરોમાંના એક બન્યા. 2011માં વિશ્વ બેંક દ્વારા તેમની સેવાઓ માંગવામાં આવી હતી અને તેમણે 2011થી 2015 સુધી ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી.

ડો. સોમનાથને અર્થશાસ્ત્ર, નાણાં અને જાહેર નીતિ પર જર્નલ અને અખબારોમાં 80થી વધુ પેપર્સ અને લેખો પ્રકાશિત કર્યા છે, અને મેકગ્રા હિલ, કેમ્બ્રિજ / ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા પ્રકાશિત ત્રણ પુસ્તકોના લેખક છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
West Bengal CM Race। બંગાળમાં ૯ મેના રોજ શપથ ગ્રહણ શું ભાજપ આપશે મહિલા મુખ્યમંત્રી? આ ૩ દિગ્ગજ નામો પર ચર્ચાઓ તેજ
West Bengal Post Poll Violence| બંગાળમાં ‘બુલડોઝર એક્શન’થી રાજકારણ ગરમાયું TMC કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા, બંગાળમાં સ્થિતિ તણાવપૂર્ણ
Exit mobile version