Site icon

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, હુમલામાં CRPF ના પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય સુરક્ષા દળોના આતંકવાદ વિરુદ્ધ અભિયાનથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીની કમર તૂટી છે, પરંતુ અવાર-નવાર આતંકીઓ દ્વારા સુરક્ષા દળોની ટુકડીઓ પર ઘાતકી હુમલાનું પ્રમાણ પણ યથાવત છે. તાજેતરમાં જ શ્રીનગરમાં આતંકીઓએ CRPFની ટુકડી પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પૈકી બે જવાનો શહીદ થયા હતા. 

Join Our WhatsApp Community

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ હુમલા પછી બાયપાસ હાઇવેની બંધ કરી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Indian Ocean Security Crisis: હોર્મુઝ બાદ હવે હિંદ મહાસાગરમાં મિસાઈલ વર્ષા! ભારતની ‘લાઈફલાઈન’ પર ગંભીર ખતરો; ઈરાન-અમેરિકાના જંગથી દરિયાઈ વેપારમાં મચ્યો ખળભળાટ.
LPG Gas Price: ભારતના ૨ ગેસ ટેન્કરો હોર્મુઝની સામુદ્રધુની પાર કરવા સજ્જ; શું હવે ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version