Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો, હુમલામાં CRPF ના પાંચ જવાન ઘાયલ, બે જવાન શહીદ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રિય સુરક્ષા દળોના આતંકવાદ વિરુદ્ધ અભિયાનથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીની કમર તૂટી છે, પરંતુ અવાર-નવાર આતંકીઓ દ્વારા સુરક્ષા દળોની ટુકડીઓ પર ઘાતકી હુમલાનું પ્રમાણ પણ યથાવત છે. તાજેતરમાં જ શ્રીનગરમાં આતંકીઓએ CRPFની ટુકડી પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પૈકી બે જવાનો શહીદ થયા હતા. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર હાઈવે પર પુલવામા જિલ્લાના પેમ્પોરમાં કાંધીજલ બ્રિજ ખાતે રસ્તો ખુલ્લો રાખવાની સીઆરપીએફના જવાનોની ટુકડી ફરજ બજાવી રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી ગોળીબાર કર્યો હતો. આતંકીઓના આ હુમલામાં પાંચ સીઆરપીએફના જવાનો ઘવાયા હતા. ઘવાયેલા સીઆરપીએફના જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ હુમલા પછી બાયપાસ હાઇવેની બંધ કરી દેવાયો હતો અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
CJP Leader Abhijeet Dipke Allegations સરકારે વાતચીતના બહાને બોલાવી નજરકેદ કર્યા લાઠીચાર્જ અને પોલીસ બર્બરતા મુદ્દે અભિજીત દીપકેનો ગંભીર આરોપ
Exit mobile version